SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ ગુરૂધામને વંદના ઉપકારોનું વ્યાખ્યાનમાં વર્ણન કર્યું અને એમના જન્મસ્થળ પર એમની કીર્તિને અનુરૂપ આત્મકીર્તિસ્તંભની રચના કરવા અનુરોધ કર્યો. સર્વસંમતિથી ગુરૂધામ લહરામાં એમના જન્મસ્થળ પર કીર્તિસ્તંભ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને ઈ. સ. ૧૯૫૭ (વિ. સં. ૨૦૧૩)માં ચૈત્ર સુદ એકમના દિવસે એટલે કે આચાર્યશ્રી વિજયાનંદસૂરીશ્વરજીના જન્મદિવસે વિજયમુહૂર્તમાં એની શિલાન્યાસવિધિ લાલા લભુરામ શ્રીપાલના હસ્તે થઈ. આ શિલાન્યાસવિધિ પ્રસંગે સાધ્વીજી મહારાજે ઘોષણા કરી કે આવતા વર્ષે ચૈત્ર સુદિ એકમના મંગલ દિવસે વિધિવત રીતે એનું ઉદ્ઘાટન કરવામાં આવશે. સાધ્વીજી સંકલ્પ કરે, તો સાકાર કરીને જ રહે. ટૂંકા ગાળામાં આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજીના ૬૦ વર્ષના આયુષ્યને અનુલક્ષીને ૬૦ ફૂટ ઊંચો કીર્તિસ્તંભ તૈયાર થયો અને ઈ. સ. ૧૯૫૮(વિ. સં. ૨૦૧૪)ની ચૈત્ર સુદિ એકમના દિવસે સાધ્વીજી પુનઃ જીરામાં પધાર્યા અને શાસનપ્રભાવિકા શ્રી શીલવતીજી, શ્રી મૃગાવતીજી અને શ્રી સુજ્યેષ્ઠાજીની નિશ્રામાં આ પરમ પાવનધામનું ઉદ્ઘાટન જીરા નિવાસી લાલા ભગવાનદાસના બેન શ્રીમતી વજીરદેવીએ (જૈનેતર) અત્યંત શ્રદ્ધાથી કર્યું. આ ઉત્કૃષ્ટ ધર્મકાર્યમાં પ્રમુખ લાલા બાબુરામજી વકીલ, સેક્રેટરી લાલા ખેતુરામજી, શાંતિદાસજી નવલખા, લાલા સત્યપાલજી વગેરેએ મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો. આ અવસરે સાધ્વીશ્રી મૃગાવતીજીએ પ્રેરણા આપી કે હવે પ્રતિવર્ષ દાદાગુરુની જન્મજયંતી આ સ્થાન પર ઊજવવામાં આવશે અને જીરાનો શ્રીસંઘ એની જવાબદારી સંભાળશે. સાધ્વીજીએ જોયું કે જુદાં જુદાં તીર્થો પર યાત્રાસંધ જતા હતા, પરંતુ ગુરૂધામની યાત્રા માટે આવું કોઈ આયોજન થયું નહોતું. એમની નિશ્રામાં આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજીની ૧૪૨મી જન્મજયંતીના અવસરે ઈ. સ. ૧૯૭૮ (વિ. સં. ૨૦૩૪)માં એક વિશાળ પદયાત્રાસંઘ લુધિયાણાથી નીકળ્યો. ૨૯મી માર્ચ થી ૮મી એપ્રિલ સુધીના આ સંઘમાં વચ્ચે આવતાં ગામોમાં શાસનની શોભા વધારતા સહુ કોઈ જીરા-લહરા ગુરૂધામ પહોંચ્યા. આ સંઘયાત્રા દરમિયાન પણ એમણે સેવાની ભાવના સતત ચાલુ રાખી. ગામડાંનાં બાળકો અને બહેનોને મોટી સંખ્યામાં કપડાં આપ્યાં. વિદ્યાર્થીઓને અભ્યાસ માટેની ચીજવસ્તુઓ આપી, લહરા ગામના પ્રત્યેક ઘરમાં લાડુની પ્રભાવના કરવામાં આવી અને ગામની ઉન્નતિ માટે તમામ પ્રયત્ન કરવાની ખાત્રી આપવામાં આવી. સાધ્વી શ્રી મૃગાવતીજીએ બહુ હૃદયસ્પર્શી રીતે કહ્યું, *આ ગામ અને ગ્રામજનોની સેવા એ અમારે માટે ગુરુભક્તિ છે.” લહરાના આ ઉત્સવ પ્રસંગે બહારથી આવેલા ૨૫૦૦ અને જીરા તથા લહરાના તમામ લોકો મળીને કુલ પાંચ હજાર જેટલી મેદનીમાં પૂ. સાધ્વીજી મહારાજની પ્રેરણાથી ગુરૂધામ લહરાના વિકાસ માટે રૂ. પચાસ હજાર ભેગા થયા. જીરાના દેરાસર માટે લુધિયાણા શ્રીસંઘે રૂ. પાંચ હજાર ભેટ આપ્યા. આ કીર્તિસ્તંભના સ્થાન ઉપર નવો હોલ, નવું પ્રવેશદ્વાર અને કીર્તિસ્તંભનું રંગરોગાન કરાવવાની પ્રેરણા આપી. આ પ્રસંગે મફત આઇ કૅમ્પનું આયોજન કર્યું અને તેમાં આવેલા દર્દીઓને માંગલિક સંભળાવ્યું. માંસ, ઇંડા, શરાબ, સિગારેટ, બીડી આદિ છોડવાનો નિયમ ધણાંને આપ્યો. આ કેમ્પનો પૂરો લાભ અને આયોજન વલ્લભ જૈન યુવકમંડળ (લુધિયાણા) તરફથી હતા. હકીકતમાં સાધ્વીજી મહારાજનાં રચનાત્મક અને શાસનસેવાનાં કાર્યોના શ્રીગણેશ ગુરૂધામના કીર્તિસ્તંભની સ્થાપનાથી થયા અને એ પછી શાસનસેવાનાં અનેક કાર્યોનું સમાપન ગુરુ આત્મવલ્લભના સ્મારકમાં થયું ! ગુરુભક્તિથી મંગલાચરણ અને ગુરુભક્તિથી સમાપન ! કેવી અજોડ હશે ગુરુ પ્રત્યેની ગાઢ આસ્થા ! વળી પ્રતિવર્ષ જૈનાચાર્ય શ્રી વિજયાનંદ સુરીશ્વરજીના જન્મોત્સવ મેળા માટે ગુરૂધામ લહરા સ્થાયીકોશ ફેડની સ્થાપના કરાવી. આ પ્રસંગે લહરા ગામના અગ્રણી ગ્રામજનો માસ્તર વાસુદેવસિંહ, શ્રી જોગેન્દ્રસિંહ સરપંચ, પંડિત લાલચંદજી અને સમાજસેવક શ્રી સુંદરસિંહ મિસ્ત્રી ઇત્યાદિએ સાધ્વીશ્રીને નિવેદન કર્યું કે આ વિસ્તાર અત્યંત પછાત છે, આખાય ઇલાકામાં કોઈ હૉસ્પિટલ નથી અને તેથી ગામડાના દર્દીઓને સારવાર માટે ખૂબ દૂર દૂર જવું પડે છે. એમણે મૃગાવતીજીને કહ્યું કે આપ આ ગામમાં એક સારી હૉસ્પિટલ બનાવો તો અહીંના પ્રજાજનો તમારા આભારી રહેશે. આ તીર્થસ્થાનના પ્રમુખ કાર્યકર્તા શ્રી સત્યપાલજી જેને પણ ગ્રામજનોની
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy