________________
પ્રેરણાની પાવનમૂર્તિ
પરિશિષ્ટ-૨
શ્રી બી ગુલામ મહમદ, શ્રી ગુલઝારીલાલ નંદા, શ્રીમતી તારકેશ્વરી સિંહા, હિમાચલ પ્રદેશના શિક્ષણમંત્રી શ્રી દૌલતસિંહજી ચૌહાણ, હિમાચલ પ્રદેશના મુખ્ય ન્યાયાધીશ શ્રી ટી. યુ. મહેતા, મૈસૂરના મહારાજા, માલેરકોટલાના નવાબ શ્રી ઇફ્તખાર અલીખાં, ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહ, શ્રી રવિશંકર મહારાજ , દુલા ભાયા કાગ, કર્ણાટકમાં ધર્મસ્થળના વીરેન્દ્ર હેગડે, સત્યનારાયણ ગોયન્કા, આચાર્ય રજનીશ, ચિમનલાલ ચકુભાઈ, ડૉ. સાગરમલ જૈન, શ્રી દાદા ધર્માધિકારી, વિનોબા ભાવે બૌદ્ધ ભિક્ષુ આર્યબુદ્ધરક્ષિતર્થર, જેવા વ્યક્તિવિશેષો સાથે મુલાકાત થઈ. : વિ. સં. ૨૦૪૨ની અષાઢ સુદ બારસ ૧૮ જુલાઈ, ૧૯૮૬ સવારે ૮-૧૫ કલાકે શ્રી વલ્લભસ્મારક મુકામે.
દેવલોકગમન
સાધુ મહારાજ ઉપાશ્રય નિર્માણ લાભનો આદેશ : દેવરાજજી સિંગાપુરવાલે, સાધ્વીજી મહારાજ ઉપાશ્રય નિર્માણ લાભનો આદેશ : તિલકચંદ એન્ડ સન્સ, કાર્યાલય-નિર્માણ લાભનો આદેશ : ખેરાયતીલાલજી (એન.કે .), લાલા સુંદરલાલજી , મોતીલાલ બનારસીદાસ, રામલાલજી , રતનચંદજી , જલપાનગૃહ (કેન્ટિન) નિર્માણ લાભનો આદેશ : લાભચંદજી રાજ કુમારજી, અતિથિગૃહ-નિર્માણ લાભનો આદેશ : અરુણાબેન અભયકુમાર ઓસવાલ. ઐતિહાસિક ચાતુર્માસ : ઈ. સ. ૧૯૭૮માં કાંગડા હિમાચલ પ્રદેશમાં ચાતુર્માસ
કરી પપ વર્ષથી બંધ આદિનાથ ભગવાનના મંદિરનાં દ્વાર ખોલાવ્યાં. મૃગાવતીશ્રીજીની પ્રેરણાથી કાંગડા તીર્થ ભોજનશાળાની સ્થાપના થઈ અને ધર્મશાળાનો વિકાસ કરવામાં આવ્યો. મૈસૂરમાં સાધ્વીજીનો પ્રથમ ચાતુર્માસ વલ્લભસ્મારક સ્થળ પર ૧૯૮૪માં ચાતુર્માસ મુંબઈ ખારમાં પંજાબ જૈન ભ્રાતૃસભા અહિંસા હોલમાં પ્રથમ ચાતુર્માસ ભગવાન મહાવીરની ૨૫00મી નિર્વાણ વર્ષ ઉજવણીને
સફળ બનાવવા ૧૯૭૪માં અથાગ પ્રયત્નો કર્યા. પદયાત્રી : ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન-મારવાડ, પંજાબ, મુંબઈ,
કોલકાતા, મહારાષ્ટ્ર, પૂના, કર્ણાટક, મૈસૂર, બેંગલુરુ, મૂડબિદ્રી, જમ્મ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે સ્થળોમાં
લગભગ ૬૦ હજાર માઈલની પદયાત્રા, ભાષાજ્ઞાન : પ્રાકૃત, અર્ધમાગધી, પાલિ, સંસ્કૃત, ગુજરાતી અને હિંદી
ઉપર પ્રભુત્વ, ઉર્દુ, બંગાળી, મારવાડી અને અંગ્રેજી ભાષાઓનું
પણ સારું જ્ઞાન હતું. દેશપ્રેમ : બચપણથી જ દેશપ્રેમની પ્રતિજ્ઞા લઈ, ગાંધી રંગે રંગાઈ,
સ્વતંત્રતા સૈનિકો સાથે આંદોલનમાં સક્રિય ભાગ લઈ શુદ્ધ
ખાદી ધારણ કરી. મુલાકાતો : ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ, કાશ્મીરના મુખ્યમંત્રી
૨૪૪
ત્પન્ન