________________
નવભારતના ભાગ્યવિધાતા મહારાજા : વહાલા મિત્ર, તમારા મોંમાં શર્કરા – શું કહેતા હતા તમે -
ટૉમસનની કંપની - ટૉમસન આણી કંપની સરકાર, છી છી, એની વિસ્કી નહીં, એની મડમ નહીં, એનો પહેરવેશ
નહીં. કેદી : અને એનું ભણતર નહીં. ભણવું તો એ ભણતર એના પાયા
હચમચાવવામાં જ વાપરવું. મહારાજા ઝવેરભાઈ ! ચાલો, હવે રાત વધી ગઈ છે. આરામ કરીએ.
તમારા જેવા જુવાનો દેશમાં વધારે પાકે એવી પ્રાર્થના કરીએ. કાલે ઓર શેતરંજ રમીશું. હા, હા. તમારાં સંતાન એ કામ પાર પાડશે, એ તમારી ભાવના ફળો. ગુડ નાઇટ !
વિદ્યાભ્યાસ અને વકીલાત
: પાત્રો : શાવકરા., ગોકુલ, અવાજ
શાવકશા : અરે પણ બાબા ! મને અહીં કાં લાવીને બેસારિયોચ ? ગોકુલ : શ શ ? જરા શાંત રહો બાવાજી. તમે એકલા નથ. આ
આ બીજા તમારા સાથીદાર પણ આવ્યા. જુઓ. શાવકશા : અરે દીકરા ગોકુલ ! તું ક્યાંથી ? ગોકુલ : આપણો જમાનો ગયો. હવે તો આ દુનિયાના લોક ભલું
ભલું કરે, વરહો પહેલાં ગુજરી ગયેલાને, કોઈ માધ્યમ
મારફત અવાજ હાંભરવા બોલાવે. શાવકશા : માધ્યમ–તે શું વરી નવી બલા ! ગોકુલ : કહેશે કે કોઈ લાકડાનું પાટિયું લાવે, અને ઉપર ગરા
ફેરવે, ઈને ગયા જમાનાના માણહનું નામ દે એટલે ઈમની
હંગાથે વાતો થઈ હકે. ઈનો આત્મો આવે, આત્મો. શાવકશા : સમજ્યો, પ્લાન્ચેટ, મારા વાલા પોતાની વિલ પાવરથી બોલાવે.
આય એક નવો ધંધો શરૂ થયો જ નહીં રે, હું તો ચાલિયો. અવાજ : શાવકશા બેસો, ગોકુલભાઈ બેસો. અમે તમને ખાસ કારણસર
તસ્દી આપી છે.