________________
શબ્દસંનિધિ વેશિનિન વિખૂટો પડી રહ્યો છે અને એને ફરી કુલિગિન સાથે આકરું. જીવન ગાળવાનું છે. એ કહે છે કે આપણે જીવવું જ જોઈએ. જ્યારે ઇરિના કહે છે : “આપણે કામ કરવું જોઈએ, માત્ર કામ !' ઇરિના નિશાળમાં શિક્ષિકા તરીકે જવાની વાત કરે છે. પણ એ સાથે એમ થાય છે કે શું એ ય લ્ગાની જેમ કંટાળી તો નહીં જાય ને ? આ રીતે સંગીતના વિલયની સાથોસાથ બહેનોની આશાનો વિલય થતો લાગે છે. આ બહેનોને માટે આવી રિક્તતા મૃત્યુ કરતાં ઓછી દુઃખકર નથી.
કલા એ કોઈ ધર્મપુરુષ કે કર્મપુરુષની પેઠે નહીં પણ પોતાની સત્યમયતાથી આશ્વાસન આપે છે. અહીં કોઈ એકાદા ગૌરવશાળી પાત્રના પતનની કરુણતા આલેખી નથી, પણ સમગ્ર માનવજીવનની કરુણ ગાથા આલેખી છે. માત્ર ત્રણ બહેનોની જ ટ્રેજેડી નથી. આને , બેરન તુઝેનબાચ અને વેર્શિનિનની પણ એ ટ્રેજેડી ગણાય. પ્રણયને કેન્દ્રમાં રાખીને ય જુદી જુદી ટ્રેજેડી સર્જાય છે. તુઝેનબાચ તત્કાલીન પરિસ્થિતિ વિશે જે કહે છે તે આ ટ્રેજેડીને બરાબર લાગુ પડે છે. એ કહે છે :
"To-day there are no torture chambers, no executions, no invasions and yet, how much suffering !”
આ નાટકમાં કરુણતા અને વિધિની વક્રતા સાથોસાથ આલેખાય છે. એકમાત્ર તુઝેનબાચ સિવાય કોઈનું મૃત્યુ થતું ન હોવાથી નાટક રૂઢ અર્થમાં ટ્રેજેડી નથી. પણ અહીં આલેખાયેલું એકલવાયું, અસાર અને વિષાદપૂર્ણ જીવન એ મૃત્યુ કરતાં ય કારમું છે. આજનાં અંબ્સર્ડ નાટકોની પેઠે ચેખોવ જીવનને સાવ વાહિયાત હોવાનું માનતો નથી. એ આશાનો ગોકીરો કરતો નથી, પણ જીવનની અસારતા અને મૃગજળ સમી આશાઓ બતાવતાં ય દૂર દૂર ક્ષિતિજ માં આશાનો ઉષ:પ્રકાશ બતાવે છે. અનેક વ્યર્થતા વચ્ચે પણ જીવન તો છે જ .
શ્રી સિસ્ટર્સના સર્જકની કલા જીવનને નિઃસાર માનતી ઓલ્ગાને અંતે જીવનના જયનો આછો વિજયનાદ કરતી ભરતીના અવાજો સંભળાય છે. વેર્શિનિનને ત્રણસો વર્ષ પછી સુખમય બનનારી દુનિયાનાં સ્વપ્નાં આવે છે, તો બેરન તુઝેનબાચ ગામ બળી જતાં ઈટવાડામાં જઈને કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે. ઇંટવાડો એ નવસર્જનનું પ્રતીક છે. આ કર્મશીલ માનવી દ્વયુદ્ધમાં જતા પહેલાં ઇરિનાને કહે છે—‘મને એમ લાગે છે કે હું મરી જઈશ પછી એક યા બીજી રીતે જીવનમાં ભાગ ભજવતો રહીશ.” બંને કર્મયોગની ભાવના ધરાવે છે અને તે પણ બીજાને માટેના કર્મયોગની. તુઝેનબાચના કર્મયોગનો પવિત્ર ન્યાસ ઇરિનામાં સંક્રાન્ત થાય છે. ઇરિનાને જીવવાનું પ્રેરક કારણ મળી રહે છે. નાટકને અંતે એ કામ કરવા માગે છે અને તે પણ જરૂરિયાતવાળા માટે. આ અવાજ ખોખરા આશાવાદનો નથી. માનવીને આધાર આપનારી બધી બાબતો તૂટી પડે, તો જીવનનો તંતુ માનવીની ચેતના સાથે અતૂટપણે ગૂંથાયેલો રહે, ત્યારે એ માનવી હારી ખાતો નથી. ચેખોવે જ કહ્યું છે–
*My holy of holies are the human body, health, intelligence, talent, inspiration, love and the most absolute freedom-freedom from despotism and lies.
જિંદગીની નિરાશા અને રિબામણનો અનુભવ કરતી આ ત્રણે બહેનો ‘આપણી પછી આવનારા'ના સુખને ઇચ્છે છે. આ સમય દરમિયાન તેઓએ માત્ર કામ જ કરવાનું છે. બીજું કશું ય નહીં ને કામ ! કશી ય આશા વિના કામ ! એમનો આવો પ્રયત્ન એટલે જ જીવન. માત્ર આટલા જ આશાવાદને કારણે આ નાટકને મર્યાદિત અર્થમાં ટ્રેજી-કૉમેડી કહી શકાય. આવો આશાનો ચમકારો નાટકના વિષાદમય વાતાવરણમાં ક્ષણવાર જ ચમકી જતો લાગે છે. વળી કરુણની અસર વધારે ગાઢ એ માટે બને છે કે અહીં ઝળાંહળાં