________________
શબ્દસંનિધિ
જ નહીં. સર્જક ભાવકની આંગળી ઝાલીને એને વાર્તાપ્રદેશમાં દોરતો. આથી સહૃદયની શક્તિને પડકાર કે આહ્વાન થતું નહીં, પણ ધૂમકેતુની નવલિકા વિશેની વિભાવના આ વિષયમાં સારી એવી સૂઝ ધરાવનારી છે. તેઓ કહે છે – “નવલકથા જે કહેવાનું હોય તે કહી નાખે છે, ટૂંકી વાર્તા કલ્પના અને લાગણીઓ જગાવીને જે કહેવાનું હોય તેનો માત્ર ધ્વનિ જતણખો જ– મુકે છે.” પરંતુ ધૂમકેતુની આ વિભાવના એમના સર્જનમાં ઘણી વાર સાથે જણાતી નથી. ‘ભૈયાદાદા’ને અંતે સર્જક પોતે જ રહસ્ય અથવા વાર્તાસાર આપી દે છે. લલિતમોહન અને સુકેશી જેવાં પાત્રોની સૂત્રાત્મક ઉક્તિમાંથી નવલિકાનું રહસ્યોદ્ઘાટન થઈ જાય છે. ‘અખંડ જ્યોત’ કે ‘ગોવિંદનું ખેતર' જેવી વાર્તાઓ તો રહસ્યની ખીંટી પર ટાંગેલા ડગલા જેવી બની ગઈ છે. ટૂંકી વાર્તાએ તો ધ્વનિ જ - તણખો જ – મૂકવાનો, એવી સમજ ધરાવનારા સર્જક ધૂમકેતુ વાચકને સહેજે આયાસ કે શ્રમ ન કરવો પડે એટલી હદે કથયિતવ્યને પ્રગટ કેમ કરતા હશે ? શું ભાવક વિશેની એમની શ્રદ્ધા ઓછી હશે ? આમાં ભાવકની શક્તિના અપમાનની સાથે સાથે સર્જકને ખુદ પોતાનામાં ઓછો વિશ્વાસ લાગે છે. એ ગમે તે હોય, પણ ભાવકનો ‘અવ્યક્ત મધુર' ખોળવાનો આનંદ તો હરી જ લે છે !
1
ધૂમકેતુને ભાવના, પ્રસંગ કે લાગણીમાં જેટલો રસ છે, એટલો એ દ્વારા પ્રગટ થતા જીવનનાં બલાબલોમાં નથી. એમની નવલિકાઓમાં ક્યારેક પ્રસંગ-આલેખનની પળોજણમાં પાત્ર ઝાંખું પડી જાય છે. પાત્રમાનસના સ્તરો ઉખેળવાને બદલે કે એના વ્યક્તિત્વમાં અવગાહન કરાવવાને બદલે ભાવના હાથમાં માત્ર પ્રસંગ રહી જાય છે. ‘તારણહાર’ અને ‘કેસરી વાઘા' જેવી વાર્તાઓમાં તેમજ દોલતના
* ‘તણખામંડળ ૧’ (બારમી આવૃત્તિ), પ્રસ્તાવના, પૃ. ૧૦
99
ધૂમકેતુનો સ્થિર પ્રકાશ
પાત્રને અનુષંગે પ્રસંગ વધુ ઊપસ્યા છે અને પાત્ર ઝાંખાં પડી ગયાં
છે.
‘તણખામંડળ ૧’માં પ્રગટ થતી સર્જક ધૂમકેતુની વર્ણનકલા વિશે વિચારીએ તો આનંદપુરના એક ખૂણાનું, નંદગિરિનું, ભૈયાદાદાની ઓરડીનું કે દરવેશની ઝૂંપડીનું તેમજ, ‘પોસ્ટઑફિસ’માં આવતું પાછલી રાતનું અને ‘ભીખુ’માં પ્રારંભનું વર્ણન વાર્તાને ઉઠાવ આપે છે. અમુક મનોદશા કે પરિસ્થિતિ આલેખતાં આ વર્ણનો ભાવોને સાકાર કરવાની સાથે ચિત્રાત્મકતા લાવે છે. પ્રાકૃતિક જીવનની સમૃદ્ધિને છલકાવતાં ‘પૃથ્વી અને સ્વર્ગ’નાં વર્ણનો મુલાયમ વાતાવરણ સર્જે છે. ‘ગોવિંદનું ખેતર' જેવી નવલિકાઓમાં વર્ણન ખુદ ‘રોમૅન્ટિક' બને છે, તો વળી ધૂમકેતુની નવલિકાઓમાં વર્ણન idealized થઈ જાય છે. વાંચ્ય રાખવાનું મન થાય એવાં કેટલાંય વર્ણનો ‘તણખામંડળ ૧'માંથી મળી આવે. પણ આ વર્ણનો વાર્તાને ખરેખર ઉપકારક છે ખરાં ? કેટલેક સ્થળે વર્ણનોની નાની-મોટી વિગતો સાર્થ બનીને કથયિતવ્ય ભણી દોરી જતી નથી. આ વર્ણનો બધે અર્થપૂર્ણ – ટૂંકી વાર્તાની અપેક્ષાએ બનતાં નથી. ટૂંકી વાર્તામાં તો એને ઉપકારક ન હોય, એ બધું જ એનું મારક બને છે. પરંતુ એ નોંધવું જોઈએ કે કેટલેક સ્થળે તો ધૂમકેતુને જે વસ્તુ રજૂ કરવી છે, તે માટે વર્ણનનો આશરો લીધા વિના ચાલે તેમ નથી. નલિકાનો ભાવ-પરિવેશ જ આની માગણી કરે છે. ‘કલ્પનાની મૂર્તિઓ’ કે ‘સોનેરી પંખી'માંથી વર્ણનો કાઢી નાખીએ તો કશું બચે ખરું ? વાર્તામાં આવતા સંવાદો એના પ્રવાહને ગતિ આપતા, ધક્કો લગાવતા નથી. એકવિધ જણાતા સંવાદો પાત્રની વિશિષ્ટ મુદ્રા પ્રગટાવી શકતા નથી. ધૂમકેતુની નવલિકાઓમાં ઠેર ઠેર સચોટ અને હ્રયસ્પર્શી ચિંતનકણો મળે છે. એ સમયના કેટલાય સહિત્યશોખીનોની
s
–