SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૮e ભાવન-વિભાવના પરિસ્થિતિની એક નવી જ મુગ્ધતાભરી રંગીન સૃષ્ટિનો પરિચય કરાવ્યો. સર્જકની સંવેદનાની વિશાળ વ્યાપ્તિને કારણે જ નાનીશી કેડી સમો આ સાહિત્યકાર એક મોટા માર્ગનું રૂપ ધારણ કરે છે. લેખકના ગહન અને વ્યાપક સમભાવને કારણે જ નિમ્ન કે સામાન્ય ગણાતા માનવીની ઝળહળતી ચિત્તસમૃદ્ધિ આલેખાઈ છે. સાવ નીચલા થરના માનવીઓની વ્યથા, વેદના, મૂંઝવણો, આઘાત, માનસિક સંઘર્ષ અને એમના થતા શોષણને અભિવ્યક્ત કરે છે. લેખકની નજ૨ માત્ર સભ્યતાના સીમાડાની બહારના ગણાતા એવા ઉપેક્ષિત સમાજ પૂરતી જ મર્યાદિત રહી નથી, પરંતુ શ્રીમંતોના કે રાજવીઓના જીવનને પણ આવરી લે છે. તાજની આસપાસના રંગીન, રમણીય અને મુલાયમ વાતાવરણની સાથે સાથે ત્રણ દરવાજાની આસપાસ હરતીફરતી કંગાલિયત પણ અહીં રજૂ થઈ છે. એમની નજર પોસ્ટ ઑફિસ, શાક માર કીટ અને રેલવે ક્રૉસિંગની ઝૂંપડીથી વૈશાલીનગરીની આમ્રપાલીના વૈભવી આવાસ સુધી પહોંચે છે. નંદાગિરિ, વારાણસી અને પૃથ્વી પર સ્વર્ગ સમા પ્રકાશતા સતલજ કિનારાના પ્રદેશથી માંડીને છેક વેશ્યાગૃહ વાર્તાપ્રવાહના વહનની ભૂમિ બને છે. ધૂમકેતુના આગમનથી ગુજરાતી નવલિકામાં સ્થળ અને કાળનું માતબર વૈવિધ્ય આવે છે. એમનાં સ્થળવર્ણનો નવલિકાનું એક અભિન્ન અંગ બની જાય છે. ‘કલ્પનાની મૂર્તિઓ’ કે ‘પૃથ્વી અને સ્વર્ગમાંથી વર્ણનો ગાળી નાખીએ તો નવલિકાનું નીરસ હાડપિંજર જ મળે. કાળના વૈવિધ્યને જોઈએ તો ‘પૃથ્વી અને સ્વર્ગ માં જગતની બાલ્યાવસ્થાનો રમણીય કાળ, “આત્માનાં આંસુ માં વૈશાલીના લોકતંત્રનો સમય, ‘ કેસરી વાળા’ કે ‘તારણહાર માં મધ્યકાળની રજપૂતી વીરતા, અને ‘ગોવિંદનું ખેતર માં ગામડાંઓની શહેર ભણી દોટનો સમય આલેખાય છે. વાર્તાકાર ધૂમકેતુ ધૂમકેતુની વાર્તાસૃષ્ટિમાં આલેખાયેલો સમાજ પણ વૈવિધ્યસભર છે. એમની વાસ્તવ દૃષ્ટિ અને રોમેન્ટિક વ્યક્તિત્વમાંથી જાગેલી ભાવનાઓ તથા કલ્પનાના બળે તેઓ વૈવિધ્યસભર પાત્રો આપે છે. એમની ‘ગોવિંદનું ખેતર’ એ પાછળથી ઘૂઘવતા પૂર સમા બનેલા ગ્રામજીવનવિષયક કવનોની પ્રારંભકૃતિ ગણાય. સર્જકનું ભાવુક હૃદય ‘કલ્પનાની મૂર્તિઓ', ‘સોનેરી પંખી’ કે ‘પૃથ્વી અને સ્વર્ગ'ના વિષયો શોધી લાવે છે તો એમની વાસ્તવ દૃષ્ટિ ભીખુ, ગોવિંદ, ભૈયાદાદા, અલી કોચમેન, વાઘજી મોચી, જુમો ભિસ્તી જેવાં પાત્રો સર્જે છે. આ નવલિકાઓમાં ઉદાર, વ્યાપક અને માનવતાથી ધબકતી પ્રણયભાવનાઓ આલેખે છે. એમની નવલિકાઓ કલાપ્રીતિ, કુદરતપ્રીતિ, ભૂમિપ્રીતિ, પ્રાણીપ્રીતિ અને માનવપ્રીતિના જુદા જુદા વિવતની સાત્ત્વિક પ્રભા પ્રગટાવે છે. ત્યાગ, બલિદાન, સમર્પણ, વફાદારી અને પ્રાયશ્ચિત્ત જેવી ભાવનાઓનું અસાધારણ ઊર્મિમયતાથી એવું તો સ્વાગત કરે છે કે આ નવલિકાઓમાં કોઈ પુરોગામી વાર્તાકારમાં ન અનુભવાયો હોય એવો કરુણરસ અનુભવાય છે. આમ ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો ધૂમકેતુનું આગમન નવલિકાક્ષેત્રે કેટલીય નવી દિશાઓ અને શક્યતાઓને ઉઘાડી આપે છે અને એમની નવલિકાઓમાં આગવો ચીલો પાડવાનું સામર્થ્ય પણ છે. ધૂમકેતુ પહેલાં શ્રી કનૈયાલાલ મુનશી જેવા સમર્થ સર્જકે મારી કમલા ને બીજી વાતો' જેવો નવલિકાસંગ્રહ આપ્યો હતો, પણ મુનશી જેવા સરળ કથનરીતિ ધરાવનાર વાર્તાકાર પાસે પણ ટૂંકીવાર્તા કેળાનું રૂપ પામતી નથી. મુનશીએ ‘શામળશાનો વિવાહ” જેવી વાર્તાઓ દ્વારા કટાય, વક્રોક્તિ અને વ્યંગનો આશરો લઈને સામાજિક સુધારણાનો સંદેશ આપ્યો. મુનશીનું ધ્યાન માત્ર કથન પર છે, જ્યારે ધૂમકેતુની નજર સંયોજન પર છે. મુનશી શામળશાના વરઘોડાનું કે જુનવાણી નીતિ-રીતિમાં માનતા ગોમતીદાદાનું ઠઠ્ઠાચિત્ર આપે છે,
SR No.034273
Book TitleBhavan Vibhavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2000
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy