SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પણ પરિણમે છે. ઇતિહાસ કહે છે કે આ યુદ્ધખોર જગતને જૈન ધર્મે એક નવી દૃષ્ટિ આપી. એણે પહેલાં તો કહ્યું કે માનવીએ ખરું યુદ્ધ તો પોતાના આંતરશત્રુઓ સામે કરવાનું છે. જ્યારે રાજાઓ યુદ્ધ કરવા માટે અતિ ઉત્સુક બનતા ત્યારે એણે કહ્યું કે તમારી લાલસા માટે હજારો સૈનિકોનો નાશ શા માટે ? કેટલીય સ્ત્રીઓને વિધવા બનાવવાનો કોઈને અધિકાર ખરો ? સંપત્તિનો સર્વનાશ રાજાની લાલસાને કારણે થાય તે યોગ્ય ગણાય ? આથી એણે એક નવી વિચારણા આપી કે જે બે રાજા વચ્ચે યુદ્ધ લડાતું હોય એ બંને એકબીજા સાથે લડે પરંતુ એની સેનાના સંહારની કશી જરૂર નથી. છ 1 શ્રી મહાવીર વાણી 11 જીવ જ્ઞાનથી પદાર્થોને જાણે છે. દર્શનથી શ્રદ્ધા રાખે છે. ચારિત્રથી આશ્રવનો નિરોધ કરે છે અને તપથી કર્મોને ઝાટકીને દૂર કરી દે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૮, ૩૫ ભાવમંજૂષા એ ૩૨ 21 ૧૬ બિરુદનું સાચેંય ગુરુના અનંત ઉપકારનો બદલે વાળવો શી રીતે ? ગુજરાતના પ્રતાપી રાજવી કુમારપાળના મનમાં આ વિચાર રાત-દિવસ ઘોળાતો હતો. ગુરુએ જીવન આપ્યું, પ્રાણ બચાવ્યા, એમના આશીર્વાદે વિશાળ રાજ્યના રાજવી બન્યા. ગુરુ એવા છે કે એમને રાજ્ય આપીએ તો પણ લેવા તૈયાર નથી. કોઈ પણ સમૃદ્ધિ આપીએ તો પણ એનો સ્પર્શ કરવા તૈયાર નથી. અરે ! રાજાના ઘરનું ભોજન પણ એ સ્વીકારતા નથી. વિદ્વત્તાના સાગર સમા આ ગુરુદેવ શ્રી હેમચંદ્રાચાર્ય તરફ પોતાની ભક્તિ કઈ રીતે પ્રગટ કરવી ? આખરે સમ્રાટ કુમારપાળે વિચાર કર્યો કે આ કલિકાલમાં એમના જેવા જ્ઞાની કોઈ છે નહીં. આથી દરબાર ભરીને એમને ‘કલિકાલસર્વજ્ઞ’નું બિરુદ આપ્યું. રાજા કુમારપાળે ભવ્ય દરબાર યોજવાનું નક્કી કર્યું. વિખ્યાત રાજપુરુષોને આમંત્રણ આપ્યું. બીજા અનેક રાજવીઓ, સામંતોને બોલાવ્યા. પ્રતિષ્ઠિત શ્રેષ્ઠીઓને નિમંત્રણ આપ્યું. આવા દરબારમાં પોતાના શિષ્યો સાથે શ્રી હેમચંદ્રાચાર્યે પ્રવેશ કર્યો. સહુએ ઊભા થઈ વંદન કર્યા. રાજવી કુમારપાળે ૩૩ ૬૦ ભાવમંજૂષા
SR No.034272
Book TitleBhav Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy