________________
WEDNESDAY 1ST MARCII 1915. સંવત ૧૯૬૧ ના ઇતર સુદ ૧૫ બુધવારે તા. ૩૧ મી માર્ચ સને ૧૯૧પ, મુ. તા. ૧૪ જનાદીલાવલ સને ૧૩૭૩ ૯. પ-૪ અ ૬૬ તા. રા. ૨૧ મેહેર સને ૧૨૪
મલ્લિનાથ સ્તવન
મલ્લિનાથ તવ પ્રીતની – રીત છે કંઈ ન્યારી. પ્રાણાર્પણ કરવું પડે મમતા સર્વ વિસારી
મરજીવા થઈ મેળમાં – સાચા ભાવે રહેવું.
મલ્લિનાથ. ૧
સાક્ષીભાવે સહુ વિશ્વમાં – રહેવું લેવું ને દેવું – મલ્લિનાથ. ૨ સુરતાધારી પ્રભુ સાથમાં – કર્મે બાહ્યનું કરવું.
-
પ્રભુના શુદ્ધ સ્વરૂપને – નિત્ય ચિત્તમાં સ્મરવું – મલ્લિનાથ. ૩ ચિત્ત રહે પ્રભુ પાસમાં – ચેન લાગે ન જગમાં.
પ્રભુરૂપ પ્રેમ ખુમારીનું – તાન વહે રગોરગમાં – મલ્લિનાથ. ૪ શિરસાટે મેળ મેળવી – ઐક્યલીનતાધારી.
–
=
બુદ્ધિસાગરભાવથી – નિશ્ચયદિવ્યાવતારી – મલ્લિનાથ. ૫
ॐ शान्तिः ३ મલ્લિનાથ સ્તવન
-
પ્યારા.
પ્યારા. ૧
પ્યારા મલિજિનેશ્વરદેવ સદાસુખ આપશો રે. વ્હાલા વેગે સાહાય કરીને દુઃખો કાપશો રે સઘળું મ્હારા મનનું જાણે – શું શું કહું પ્રભુ તવ આ ટાણે. સાચા સેવકને તવ સરખો કરીને થાપશો રે દુઃખીનાં દુઃખ સૂરે દેવા – સેવક સારે સાચી સેવા. અન્તર રોમે રોમે ધ્યાતા ધ્યાનમાં વ્યાપશો રે – પ્યારા. ૨ સાક્ષીભાવે બાહ્યની રહેણી – સાક્ષીભાવે બાહ્યની કહેણી. તટસ્થે નિર્લેપી કરણી ક૨વી મુજથી થશો રે હું તું ભેદ જરા ના ભાસે – સત્તાએ પરબ્રહ્મ પ્રકાશે. આપો નિજગુણ સ્થિરતા ભેદ પડે ના જ્યાં કશો રે
પ્યારા. ૩
પ્યારા. ૪
સાહાય કરો મુજ ક્ષણ ક્ષણ સ્વામી – કેવલજ્ઞાની નિજ ગુણ રાખી. ભાવે બુદ્ધિસાગર શિવપદ ઘટમાં છાપશો રે – પ્યારા. ૫ ॐ शान्तिः ३
“આંતરડી કકળાવી જુલ્મે, થશો ન સુખિયા ક્યારે, કલંક આળો દેઈ જુઠાં, ચાલો ન નરક દ્વારે રે.”
108
-
-