________________
SUNDAY 14TH MARCH 1915. સંવત ૧૯૩૧ ના વદ ફાગણ ૧૪ રવિવાર તા. ૧૪ મી માર્ચ સને ૧૯પ. મુ. તા. ૨૭ બીલાપર સને ૧૩૩૬ ૩, ૪ અ. ૫-૫૬ પા. રે. ૪ મેહેર સને ૧૨૨૪,
વિમલા નવ કરશો ઉચ્ચાર – એ રાગ જેને નહિ નિજ કિમ્મતભાન અરે ત્યાં શું બકે રે. જેને સર્વ વસ્તુની કિસ્મત ભાસે છે ટકે રે – એવા માનવ આગળ શું ઉપદેશ કર્યા કરે રે. નથુરા નગુણા લોકો સમજણ વણ ફરતા ફરે રે –
જ્યાં નિજની કિસ્મત ના થાતી – વ્યક્તિ મહત્તા ના સમજાતી. એવા મૂઢ જનોના ગુરુ બન્યાથી શું સરે રે – એવા – ૧ કરે ઝવેરી રત્ન પરીક્ષા – જાણે ઉત્તમ કિસ્મત શિક્ષા. બહેરા આગળ વેદપુરાણો વાંચે શું વળે રે – એવા – ૨ સિત્યશિખામણ ચિંતન ધારે – કરે કદાગ્રહ મનમાં ભારે. જે જન અધિકારીના ભક્ત થતાં પણ શું મળે રે – એવા – ૩ સાન્નિપાતિક પેઠે બોલે – સત્ય દલીલો જેના તાલે. સુગુરી વાનરને ઉપદેશે ઘર નિજનું ટળે રે – એવા – ૪ શ્રદ્ધાભક્તિનો ના દાવો – નહિ ઉપદેશે માને લ્હાવો. એને ભક્ત શિષ્ય માન્યાથી ઘર નિજનું બળે રે – એવા – ૫ ભૂખ્યાને કિસ્મત ભોજનની – ભોગીને કિમ્મત છે તનની.
જ્યાં નહિ વસ્તુની કિસ્મત ત્યાં સાર ન નીકળે રે – એવા – ૯ સમજે ગુરુની પૂર્ણ મહત્તા – જાણે જે નિજગુરુની સત્તા. એવા યોગ્ય જનો ઉપદેશ શ્રમ સફળો ખરે રે. બુદ્ધિસાગરગુરુના શિષ્યો જયકમલા વરે રે – એવા – ૭
પો
ॐ शान्तिः शान्तिः शान्तिः ३
“ઇતિહાસો શું જગના વાંચે, નિજ જીવન ઇતિહાસ તપાસ, ઇતિહાસો જીવ કર્મના લખતાં, નભમાં પણ નહિ માવે ખાસ.”