________________
પહેલાં લઈ કાયાનું સાર્થક કરવા પ્રયાસ કર્યો, અને ઘરના બહેળા કુટુંબને કેળવવા તથા ધર્મ ખાતાંમાં સંપૂર્ણ જીવન વ્યતીત કરવા જે પેજના કરી તે અત્યંતર સાધુતાનું લક્ષણ છે.
આ જ્ઞાનભંડારને અંગે ધાર્મિક પાઠશાળા પ્રથમ ગોપીપુરાના ઉપાશ્રમમાં શરૂ કરી અને શ્રાવકેના નાના બાળકોને શિક્ષણ આપવા તથા તેના ઉત્તેજનાથે ૫ હજાર રૂપિયા આ જ્ઞાન ભંડારને મકાન બાંધી આપનાર ઝવેરી નગીનચંદકપુરચંદના પુત્રએ ફરી આપેલા છે, તેમાંથી ધાર્મિક પાઠશાળા ચાલુ છે, તેમ જ્ઞાનભંડારમાં બપોરના સમયે શાસ્ત્રી સન્મુખરામજી પુસ્તક લેવા આપવા ઉપરાંત સાધુ સાધ્વી જેન અજૈન વિદ્યાર્થીઓને સંસ્કૃત ભણાવે છે તથા જેનસ ચરિત્રે વંચાવે છે, અને તેને લાભ બધા લે, એ તેમની પવિત્ર ભાવનાને દરેક ટેકે આપે એજ પ્રાર્થના છે, વળી ૧૯૭૭ થી સટીક સૂત્રોનું ભાષાંતર ખાતું ચાલુ થયું અને દશવૈકાળિક આચારાંગ સૂયગડાંગ તથા આવશ્યક નિર્યુક્તિ પ્રથમ ભાગ છપાઈ ગયા છે, નાણાંની તંગીને લીધે પુસ્તકે ઓછાં ખપવાથી સૂયગડાંગ પાંચમે ભાગ છપાવે બાકી ન રહે માટે અમદાવાદમાં સ્થાનકવાસીમાં અગ્રગણ્ય વકીલ ત્રીકમલાલ ઉગરચંદભાઈ જેમણે પૂર્વે વ્યવહાર સૂત્ર છપાવવામાં સહાય કરેલી તેમને કહેતાં તેઓએ આ ભાગ છપાવ્યું છે, અને જેન વેતાંબર સમાજના બે સંપ્રદાયને મળવાનું આ મહાસ્તુત્ય પગલું ભર્યું છે, તે પ્રમાણે દરેક ધાર્મિક કાર્યોમાં દિગંબર પણ સાથે મળી સમગ્ર જેને સમૂહ બળથી કાર્ય કરી મહાવીર પ્રભુને ધર્મ જ્ઞાનધારા જગતમાં ફેલાવે એ અમારી અંતઃકરણની પ્રાર્થતા પાર ઉતારવા શાસનદેવ સૌને સુબુદ્ધિ આપે,
–માણેકમુનિ –અમદાવાદ સંવત ૧૯૮૮ આસો સુદ ૧૨ ખરતરગચ૭ ધર્મશાળા.