SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગસૂત્ર. जे मायरंच पियरंच, विपजहाय पुव्वसंजोगं॥ एगे सहित चरिस्सामि, आरतमेहूणो विवित्तेस ॥स.२॥ એને પૂર્વના સૂત્ર સાથે આ સંબંધ છે, કે પૂર્વના સૂત્રમાં કહ્યું, કે આ મેક્ષાય (દગી સુધી મોક્ષ માટે) દીક્ષા પાળે, આ એક્ષ-સંપૂર્ણ અભિવૃંગ (મેહ) ત્યાગ કરનારને હોય છે, તેથી આ અધ્યયનમાં અભિવંગ વર્જવાનું કહે છે. જે કંઈ ઉત્તમ સાધુ માતાપિતાને તથા ભાઈપુત્ર સ્ત્રી વિગેરેને પૂર્વસંબંધ સાસુસસરા વિગેરેને પછીને સંબંધ છેડીને (ચકારપદે જોડવા માટે છે) માતાપિતા વિગેરેના સંબંધરહિત એકલે અથવા કષાય તે કેધ વિગેરે રહિત તથા જ્ઞાન દર્શનચારિત્રસહિત અથવા પિતાના હિતનાં પરમાર્થનાં અનુષ્ઠાન કરનાર થઈ સંચમમાં રહીશ, એવી પ્રતિજ્ઞા કરેલ છે, તે પ્રતિજ્ઞા સર્વોત્તમ છે, તે ચેડામાં બતાવે છે. “આરતી તે જેની કામવાસના દૂર થયેલી છે તથા સ્ત્રી પશુ નપુંસક વિગેરેથી વર્જિત સ્થાનમાં રહીશ, આ પ્રમાણે સમ્યગ્રવર્તનથી વિચરે છે. કઈ પ્રતિમાં વિવિત્ત સિન્તિ પાઠ છે, વિવિક્ત તે સ્ત્રી પશુ પંડક રહિત સ્થાન છે, તેવું નિર્મળ શીલ પાળવાની શેષ કરનારે બની વિચરીશ. આવી પ્રતિજ્ઞા કરેલા તે સાધુને અવિવેકી સ્ત્રીઓથી શું થાય છે, તે કહે છે. मुहूमेणं तं परिकम्म, छन्नपएण इथिओ मंदा ॥ उवायपि ताउ जाणंसु, जहा लिस्संति भिक्खुणो एगे।सू.२॥
SR No.034259
Book TitleSutrakritanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1923
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy