SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૦૬ સૂત્રકૃતાંગ. પતા” ( સ્વભાવિકરૂપ ) ની પ્રાપ્તિ થવા છતાં મુદગરથી ઘટ વિગેરેમાં અકિંચિતકરપણું કેવી રીતે મનાય ? પણ પ્રસજય પ્રતિષેધ તે કઈ પણ ભાવને નથી કરતે, એથી કિયાને નિષેધક રૂપ પક્ષ નથી સ્વીકારતા, ત્યારે શું સ્વીકારે છે? (તેને ઉત્તર જૈનાચાર્ય આપે છે.) પ્રાગભાવ, પ્રર્વસ અભાવ, ઇતર ઈતર (જુદા જુદા) અભાવ અત્યંત અભાવ આચાર અભાવમાં ફકત પ્રવિંસ અભાવને સ્વીકારીએ છીએ, અને ત્યાં કરકેને વ્યાપાર ચાલે છે જ, ત્યાં એમ સમજવું કે “આકારક વસ્તુને પર્યાય (એક અવસ્થાથી બીજી અવસ્થા) કરે છે. પણ તેને અભાવ નથી કરતે અને તે પદાર્થની બીજી અવસ્થા થવાથી ભાવરૂપપણાથી તથા પૂર્વરૂપ ચરવામાં પ્રવ નપણથી જે કપાળ વિગેરેનેજ ઉપ્તાદ થયે. તેજ ઘટાદિને વિનાશ છે. એટલા માટે વિનાશનું સહેતુકપણું થયું વળી આ કદાચિતક (કેઈક વખત) પણ વિનાશનું સહેતુક પણું જાણવું. અને પદાર્થની વ્યવસ્થાના અર્થમાં અવશ્ય. ચારે પ્રકારના અભાવને આશ્રય લે તે કહ્યું છે. कार्य द्रव्य मनादिःस्यात् प्रागभावस्यनिन्हवे । प्रध्वंसस्य चाभावस्य, प्रच्यवेऽनन्ततां व्रजेत् ॥ १॥ પ્રાગ અભાવ ઉડાવીએ તે કાર્ય દ્રવ્ય અનાદિ થાય. અને પ્રવંસ અભાવ ઉડી જાય, તે અનંતપણું પામી જાય. सर्वात्मकं तदेकं स्यादन्यापोहव्यतिक्रमे इत्यादि.
SR No.034258
Book TitleSutrakritanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages311
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy