SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ (નિરપેક્ષ-નિરાલંબન) સુખની પ્રાપ્તિ થાય છે. જેને સહજ અગર તો સ્વાભાવિક સુખ કહેવામાં આવેલ છે . (સહજ = સહ + 1) લઇ એટલે સાથે ૪ એટલે જન્મેલું. સ્વાભાવિક = વાવ + ક = વાળુ विजहाति शरीरं यो धर्मचिंतनपूर्वकम्। अनासकतः स प्राप्नोति स्वर्गगतिमनुत्तराम्॥ જે પોતાના શરીરનો ધર્મધ્યાનપૂર્વક ત્યાગ કરે છે તે અનાસક્ત જીવ સ્વર્ગ તેમજ (પરંપરાએ) મોક્ષગતિને પામે છે. – સંબોધિ પાન-૨૫૧-૨૫૬ —: ધર્મધ્યાનનાં લક્ષણ :– આર્જવ એટલે સરળતા, લઘુતા એટલે હળવાપણું, માર્દવ એટલે નમ્રતા, ઉપશમભાવ, જિનસૂત્રમાં આત્મહિતની બુદ્ધિ અને અસંગતાની રૂચિ એ ધર્મધ્યાનનાં લક્ષણ છે. –: ધર્મધ્યાનનાં આલંબન :– વાંચન, પૂછવું પરિવર્તન (ફરી ફરી યાદ કરી જવું) અનુપ્રેક્ષણ (અર્થોના ઉડાણ, રહસ્યનો એકાગ્રતાપૂર્વક વિચાર કરવો) અને તેને પોષણરૂપ અનિત્યાદિ બાર ભાવનાઓ. તેમજ મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થતા આ ચાર ભાવનાઓ એ ધર્મધ્યાનનાં આલંબન છે. -: ધર્મધ્યાનની ૪ અનપેક્ષાઓ :– ૧) એકત્યાનુપ્રેક્ષા, ૨) અનિત્યાનુપ્રેક્ષા, ૩) અશરણાનુપ્રેક્ષા અને ૪) સંસારાનુપ્રેક્ષા. - -: શુકલધ્યાનની ૪ અનુપ્રેક્ષાઓ – ૧.મનંતવર્તિતાનુ : અનંતપદાર્થ, ભવભ્રમણ, કાળ, લોકાદિનું ચિંતવન. ૨.વિUિTEાન : સમયે સમયે પદાર્થોની પરિણમનશીલતા પર ચિંતવન. ૩.મામાનpક્ષા : બાહ્ય સંજોગોમાં અશુભ અકલ્યાણ સ્વરૂપનું ચિંતવન. ४. अपायानुप्रेक्षा : બંધના હેતુ આશ્રવાદિના કટ્રવિપાક પર ચિંતવન. न धम्मकज्जा परमत्थि कज्जं, न पाणिहिंसा परम अकर्ज। न पेमरागा परमत्थि बंधो, न बोहिलाभा परमत्थि लाभो॥ ધર્મ કાર્યથી સારું ચઢિયાતું કોઈ કામ નથી. પ્રાણીની હિંસાથી ખરાબ બીજું કોઈ દુષ્કાર્ય નથી. પ્રેમ-રાગ સમાન કોઈ બંધન નથી અને બોધિલાભ, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સમાન દુનિયામાં બીજો કોઈ લાભ નથી. – સમ્યગ્દર્શન :– ૧. તત્વાર્થ શ્રદ્ધાનં સમ્યગ્દર્શનમ. ૨. આત્માનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. ૩. સ્વપરનું ભેદવિજ્ઞાન તે સમ્યગ્દર્શન. ૪. સદેવ, સદ્ગુરૂ, સાસ્ત્રનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન. ૫. અરિહંતભક્તિ અને સમ્યગ્દર્શનમાં નામભેદ છે અર્થભેદ નથી: ‘જે જાણતો અહિંતને, ગુણ દ્રવ્ય ને પર્યયપણે; તે જાણતો નિજ આત્મને તસુ મોહ પામે લય ખરે.' – પ્રચવનસાર ગાથા-૮૦ ૬. ભાવનમસ્કાર: સમ્યગદર્શનમ્ ૭. સમતાને પ્રાસ જેનું દર્શન છે તેને સમ્મદ્રષ્ટિ જાણવો. ૮. સમ્યકત્વ ને સમત્વ જોવાનો જેનો સ્વભાવ છે તેને સમ્મદ્રષ્ટિ જાણવો. ૯. આત્મીય ભાવોમાં જે પોતાના આત્માને જોતો નથી તે તીવ્રમોહથી વિમૂઢ મિથ્યાદ્રષ્ટિ જાણવો.
SR No.034220
Book TitleMagganusariya
Original Sutra AuthorN/A
AuthorD S Shah
PublisherGnatputra Bhagwan Mahavir Trust
Publication Year
Total Pages156
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy