SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ઈંડા ખાઈ. જનાર મા કે બાળકોને આપી તેને ખાતા જોઈ સંતોષ અનુભવનાર ? “તેન ચોર મૂંગા ' તેને ત્યાગીને તૂ ભોગવ. આવું જ ઈમાનદારી અને બેઈમાનદારીનું સમજવું. આત્માનું સુખ આત્મામાં-આત્મિક ભાવોમાં હોય. ઘનાદિ સંપત્તિમાં ન સુખ છે ન સુખ આપવાનો કોઈ ગુણ છે. ગ્રંથકાર આગળ કહે છે : प्रस्फुरेत् सहजानंद :, वीर्य स्यादपराजितम्॥ ४७ ॥ ધર્મથી જ્ઞાન-દર્શનનો પોપશમ-ઉઘાડ થાય છે. ચારિત્ર, સહજ-સ્વાભાવિક સુખનો આવિર્ભાવ થાય છે અને અદમ્ય ઉત્સાહ ઉપલબ્ધ થાય છે. પ્રવર્તત્તે પર શાંન્તિ:, વૃત્તિ, સંતુનનું કામ ત્નાનિ ઘર્મ, રત્ન તસ્થતિ નો થના ૪૮ - ધર્મથી ઉત્કૃષ્ટ શાંતિ, ધૃતિ, સંતુલન અને ક્ષમા વધતાં જાય છે. આ બધાં ધર્મનાં ફળ છે. ધનની પ્રાપ્તિ થવી એ ધર્મનું ફળ નથી. – સંબોધિ પાન-૪૪. કર્મની મૂળ ૮ પ્રકૃતિ અને ૧૪૮ ઉત્તર પ્રવૃતિઓમાં ૮૩ પ્રકૃતિઓ છવવિપાકી છે અને ૬૫ પ્રકૃતિઓ પુદગલ વિપાકી છે. જીવવિપાકી પ્રકૃતિઓનો વિપાક-ફળદાન આત્મામાં-છવમાં હોય છે અને પુદ્ગલ વિપાકી પ્રકતિઓનો વિપાક શરીરમાં હોય છે. શરીરથી બહાર એટલે કે સ્ત્રી, પુત્ર, ધનાદિની પ્રાપ્તિ કોઈ કર્મપ્રકૃતિના ઉદયથી હોતી નથી. મોટાભાગના જીવોમાં આ ગેરસમજ ઘર કરી રહેલી છે. ટવી ખુબજ એની ખબજ મશ્કેલ છે. શાતાવેદનીયનો ઉદય અને અંતરાય કર્મના ક્ષયોપશમથી સ્ત્રી-પુત્ર-ધનાદિની પ્રાપ્તિ ક્યાંક શાસ્ત્રમાં જણાવેલ છે તે ઉપચરિતોપચાર એકમાત્ર લૌકિક વ્યવહારનું કથન છે. નિશ્ચયનય તેમજ વ્યવહારનયની સમજવગર ખાસ કરીને અધ્યાત્મશાસ્ત્રોનું અર્થઘટન કોઈ એકાંત ભાવમાં પરિણમે છે. હિંસદ્ધિનુ મુત્ર અપાય નવાં વર્ષનYIn ૨ ટુવમેવ વા | ૨૦ | – તત્વાર્થસૂત્રની ટીકા સવર્થસિદ્ધિ પાન-૨૬૧ હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહમાં ઐહિક આપત્તિ અને પરલોકમાં દુર્ગતિ આદિ અનિષ્ટનું ચિંતવન કરવું, તેમાં દુઃખ, દુ:ખ અને દુઃખ જ છે. આત્માનું તેમાં કોઈ હિત નથી.) - પાપભાવ, પાપપ્રકૃતિ અને પાપનો ઉદય અને તેવી જ રીતે પુણ્યભાવ, પુણ્યપ્રકૃતિ અને પુણ્યનો ઉદય એ જુદા જુદા અર્થમાં શાસ્ત્રમાં બતાવેલ છે. તત્વાર્થસૂત્રની ટીકા સર્વાર્થસિદ્ધિ પાન-ર૯૧ લાઈન ૨૫ થી , પાન-૨૯૯ લાઈન ૨૦ થી ૨૫ તેમજ મોક્ષમાર્ગ પ્રકાશક અધિકાર ત્રીજો પાન-૭૪-૫ પ્રકરણ ‘સર્વ દુ:ખોનું સામાન્ય સ્વરૂપ'માં ચાર પ્રકારની ઈચ્છાનું વર્ણન છે. ૧. વિષયેચ્છા, ૨. કષાયેચ્છા, ૩. પુણ્યનો ઉદય અને ૪. પાપનો ઉદય. પુર્યના ઉદય અને પાપના ઉદયને ઈચ્છા સાથે જોડીને પ્રાત: સ્મરણીય ટોડરમલજીએ ખુબજ માર્મિક વિષયને સ્પષ્ટ રીતે સમજાવેલ છે. સમયસારાદિ આચાર્ય કુંદકુંદદેવની કૃતિઓ તેની બાદ રચાયેલ તત્વાર્થસૂત્રના અભ્યાસ વગર નિશ્ચયાભાસમાં પરિણમશે એવા વિચારથી તેની રચના કરવામાં આવેલ છે એમ શાસ્ત્રકારોનું કહેવું છે. બાકી સમયસાર અને તત્વાર્થસૂત્રમાં છવ-અજીવ, પુણ્ય-પાપ, આશ્રવ, સંવર, નિર્જરા-બંધ અને મોક્ષનાં પ્રકરણો છે. અન્યાય-અનીતિ, અભક્ષ્ય અને મિથ્યાત્વ અને તેમાં ગર્ભિત સાત વ્યસન, બાવીસ અભક્ષ્ય, કર્મધામી ધંધાઓ અને ઘોર આરંભ-પરિગ્રહ આ બધાને ભગવાને તીવ્ર પાપ ઘોર કર્મબંધનાં કારણ, વર્તમાન દુ:ખરૂપ અને ભાવી અનંતસંસાર, તિર્યંચ અને નરકગતિનાં અસંહ્ય દુ:ખોને નિમંત્રણરૂપ કહેલ છે. તેનાથી ડરીને સર્વ - ૩૧ -
SR No.034220
Book TitleMagganusariya
Original Sutra AuthorN/A
AuthorD S Shah
PublisherGnatputra Bhagwan Mahavir Trust
Publication Year
Total Pages156
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy