SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ प्रवर्तते पराशांति, धृति संतुलनं क्षमा। फलान्यमुनि धर्मस्य, फलं तस्यास्ति नो धनम्॥ ધર્મથી પરમ શાંતિ, ધૃતિ, સંતુલન અને ક્ષમાભાવની પ્રાપ્તિ થવી એ ધર્મનું ફળ છે. ધર્મનું ફળ ધનાદિ સામગ્રીની પ્રાપ્તિ નથી. "Sometimes virtue starves and vice is fed. What then? Is reward of virtue bread ?" - Pope "Those who are earning their livelihood by dishonest and unfair means are the most ardent believers in god and his mercy. It suits their profession. It is wishful thinking and self deception both combined." - Anonymous જીવદયા – Prevention of cruelty to animals ના સંદર્ભમાં કોઈક લખેલું છે : "If animals were to sit on judgement over the crimes of human race towards their community, the existing number of gallows with many more times added. working three shifts in a day, would not be able to cope up with the work." - Anonymous - – સદાચાર-વ્રતાચાર - અણાચાર- ભ્રષ્ટાચાર :૧. સદાચાર : ન્યાયનીતિપૂર્વક ધનાર્જન કરી જીવનનિર્વાહ. ક્ષયો પરામલબ્ધિ, વિશુદ્ધિલબ્ધિ, દેશનાલબ્ધિ, પ્રાયોગ્યલબ્ધિ, કરણલબ્ધિ તેની પરાકાષ્ટામાં પ્રથમોધરામ સમ્યક્ત્વની પ્રાપ્તિ, ફળ મોક્ષમાર્ગ: ૨. વ્રતાચાર : ન્યાયનીતિથી ઉપાર્જન ધનાદિની પ્રામિ તેમજ પરિગ્રહ-તેનું રક્ષણ વિ.માં અનિવાર્ય હિંસાદિનો એકદેશ-સર્વદિશત્યાગ. ૧૧ પડીમા ૫ મહાવ્રતાદિનું પાલન-પાંચ સમિતિ, ત્રણ ગુમિ રૂ૫ અષ્ટ પ્રવચન માતાની આરાધના. ફળ: મનુષ્ય દેવગતિની પ્રાપ્તિસહ ક્રમે કરીને મોક્ષ. ૩. અણાચાર : અધમતા-નિર્દયતા-હિંસાનું તાંડવ - આંતકવાદ, નફાખોરી, નશાખોરી, લાંચરૂશ્વત, દાણચોરી ભ્રષ્ટાચાર તેની પરાકાષ્ટા - સાત વ્યસન (માંસ, મદિરા, ચોરી, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, જુગાર અને શિકાર)નું નિ:શંકપણે સેવન, તેનું ફળ અસંખ્ય ભવોમાં (સાંભળતા પણ હાંજા ગગડી જાય એવાં) અસહ્ય દુઃખોની પ્રાપ્તિ, અનંત સંસાર.જેને આ સાત વ્યસનમાંથી એકપણ વ્યસનનું સેવન છે તે જૈન નામ તરીકે ઓળખાવાને લાયક નથી એમ શાસ્ત્રકારો પોકારી પોકારીને જૈનના આચાર શાસ્ત્રોમાં કરૂણાદ્ધ હદયથી કહી ગયા છે. “તે તે ભોગ્ય વિશેષનાં સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્ય આ કહી સંક્ષેપે સાવ” – શ્રીમદ્ રાજચંદ્ર માણસ જેજે જાતનાં આચરણ કરે છે (મન, વચન, કાય અને કૃત-કારીત અને અનુમોદના એમ નવ ને ભોગવવા યોગ્ય અનુકૂળ સ્થાન ત્રણલોકમાં પડેલું છે. આ વાત કહે છે કે ઘણી ગહન છે. અહીં માત્ર સંક્ષેપમાં-ટૂંકમાં કહેલ છે. જેને વિસ્તારથી જાણવાની ઈચ્છા હોય તેણે તત્ત્વાર્થસૂત્ર તેમજ ગોમટ્ટસારમાં જીવ-અજીવ અધિકારમાં જોઈ લેવું. - ૧૪ -
SR No.034220
Book TitleMagganusariya
Original Sutra AuthorN/A
AuthorD S Shah
PublisherGnatputra Bhagwan Mahavir Trust
Publication Year
Total Pages156
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy