SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ભાષાંતર એથી ઉલટું માનવામાં દેષ કહે છે – ये तु दिक्पटदेशीयाः शुद्धद्रव्यतयात्मनः । સુખમાવવું syતે પૂર્વવું . ૮૭ | મૂલા–દિગંબર જેવા જેઓ શુદ્ધ દ્રવ્યપણાએ કરીને આત્માને શુદ્ધ સ્વભાવનું કર્તાપણું કહે છે, તેઓ અપૂર્વબુદ્ધિવાળા જાણવા. ૮૭. • ટીકાથે-જે કે જેના સિદ્ધાંતના અભ્યાસી છતાં પણ દિશારૂપી વિશ્વવાળા એટલે દિગંબરના જેવા શુદ્ધ દ્રવ્યપણુએ કરીને એટલે કેવળ શુદ્ધ દ્રવ્યાસ્તિક નયની અપેક્ષાએ કરીને આત્માને શુદ્ધ સ્વભાવનું . કર્તાપણું એટલે પિતાના સ્વરૂપને ઉત્પન્ન કરવાપણું કહે છે એટલે સંગ્રહ નયના મતવડે આત્મા શુદ્ધ સ્વભાવને કર્તા છે એમ કહે છે, તેઓ જેની પૂર્વે જ નહીં) છે એવી બુદ્ધિવાળા એટલે અબુદ્ધિવાળા અર્થાત મૂશિરોમણિ છે એમ જાણવું. કારણ કે સંગ્રહ નયજ શુદ્ધ દ્રવ્યાસ્તિક છે. તે (નય) સર્વ પદાર્થોને ઉત્પત્તિ વિનાશરહિત અને એક સ્થિરરૂપ જ માને છે. તેના મનમાં તે આત્મા પિતાના સ્વભાવને કર્તા પણ શી રીતે થાય? કઈ પણ પ્રકારે ન જ થાય. ૮૭. શાથી કરીને કરૂં ન થાય? તે શકની નિવૃત્તિ માટે કહે છે – द्रव्यास्तिकस्य प्रकृतिः शुद्धा संग्रहगोचरा । येनोक्ता संमतौ श्रीमत्सिद्धसेनदिवाकरैः ॥ ८८ ॥ મૂલાઈ–જેથી કરીને સંમતિતકને વિષે શ્રીમાન સિદ્ધસેન દિવાકર મહારાજે દ્રવ્યાસ્તિકની શુદ્ધ પ્રકૃતિ સંગ્રહના વિષયવાળી કહી છે. ૮૮. ટીકાર્યું–જેથી કરીને એટલે કહેવાશે એવા કારણે કરીને સંમતિતર્ક નામના શાસ્ત્રને વિષે શ્રીમાન્ એટલે જ્ઞાન, વૈરાગ્ય વિગેરે રૂપ લક્ષ્મીવાળા, સિદ્ધિમાર્ગની સેનાને વિષે એટલે મેક્ષને સાધન કરનારા, મનિસમૂહને વિષે માર્ગનો પ્રકાશ કરવાના ગુણવડે કરીને દિવાકર સમાન એટલે સૂર્ય સમાન અર્થાત શ્રીમાન સિદ્ધસેનદિવાકરે જે નયને દ્રવ્ય જવસ્તુ જ સત્ય છે એવા દ્રવ્યાસ્તિક નયની શુદ્ધ એટલે કેવળ દ્રવ્યમાત્રને જ ગ્રહણ કરનારી પ્રકૃતિ એટલે બોધ કરવાની શક્તિ સંગ્રહના વિષયવાળી કહી છે એટલે સર્વ વસ્તુની શક્તિઓને દ્રવ્ય માત્રામાં ગ્રહણ કરે–સ્થાપન કરે, તે સંગ્રહ નય કહેવાય છે. તે સંગ્રહ નય દ્રવ્યાર્થિક શુદ્ધ પ્રકૃતિનું સ્થાન-વિષયરૂપ છે એમ કહ્યું છે. તેથી કરીને શુદ્ધ દ્રવ્યાસ્તિક નય પર્યાયના વિષયવાળ નથી. માટે આત્માને પિતાના સ્વરૂપનું કર્તાપણું પણ તેના મતે યુક્ત નથી. ૮૮. AND T Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy