SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ . ૩૦ અધ્યાત્મસાર ભાષાંતર [પંચમવાળા યોગીને તે જે પ્રદેશમાં સમાધાન એટલે ધ્યાન કરવા લાયક વસ્તુને વિષે ચિત્તની એકાગ્રતા થાય તે પ્રદેશ પ્રશસ્ત કહેલે છે. તેને માટે ચિત્તની સમાધિ વિના બીજે કઈ જાતને નિયમ નથી. ૧૧૦. હવે કાળનું દ્વાર કહે છે। यत्र योगसमाधानं कालोऽपीष्टः स एव हि । दिनरात्रिक्षणादीनां ध्यानिनो नियमस्तु न ॥ १११ ॥ મૂલાર્થ જે સમયે યોગનું સમાધાન થાય તે જ કાળ પણ એ ઇષ્ટ છે. ધ્યાનીને દિવસ, રાત્રિ કે ક્ષણદિકને કોઈપણ નિયમ નથી ૧૧૧. ટીકાર્ય–જે રાત્રિદિવસરૂપ સમયે વેગનું સમાધાન એટલે થાનગનું અથવા મન, વચન અને કાયાના યોગનું સમાધાન એટલે ધ્યાન કરવા ગ્ય વસ્તુને વિષે તન્મયપણું થાય, તે જ કાળ પણ ધ્યાનીને છે. પરંતુ દિવસ, રાત્રિ, ક્ષણ અને મુહૂર્ત વિગેરેને નિયમ એટલે આવશ્યકતારૂપે કરીને ધ્યાનને માટે નિર્ધારને નિયમ નથી. ૧૧૧. હવે બે લેકવડે આસનદ્વાર કહે છે.* । यैवावस्था जिता जातु न स्याड्यानोपघातिनी । तया ध्यायेन्निषाण्णो वा स्थितो वा शयितोऽथ वा ॥११२॥ મૂલાઈ–જે જીતેલી અવસ્થા (આસન) ધ્યાનને ઉપઘાત કરનારી કદાચિત પણ ન થાય, તેજ અવસ્થાએ કરીને બેઠેલા, ઉભેલા અથવા - સુતેલા યોગીએ ધ્યાન કરવું. ૧૧૨. ટીકાર્ય–જે કઈ અવસ્થા એટલે શરીરના અવયની સ્થિરતા જીતેલી એટલે ઘણા અભ્યાસથી પરિચય કરેલી અર્થાત્ ધ્યાનની અનુકળતાએ કરીને અનુભવેલી છતી ધ્યાનને એટલે આરંભેલા ધર્મધ્યાન ઉપઘાત કરનારી એટલે વિનાશ કરનારી કદાપિ ન થાય, તે અવસ્થાએ કરીને પદ્માસનાદિકવડે બેઠેલા અથવા કાર્યોત્સર્ગાદિકવડે ઉભેલા અથવા દર્માદિકની શયાને વિષે સુતેલા વેગીએ ધ્યાન કરવું-સ્થાનમાં તલ્લીન થવું. ૧૧૨. શંકા–ધ્યાનમાં દેશ, કાળ અને આસનને નિયમ કેમ કર્યો નહીં? એ શંકાપર કહે છે – सर्वासु मुनयो देशकालावस्थासु केवलम् । प्राप्तास्तन्नियमो नासां नियता योगसुस्थता ॥ ११३॥ મૂલાર્થ–સર્વ દેશ, કાળ અને અવસ્થાને વિષે મુનિઓ કેવળ Aho ! Shrutgyanam,
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy