________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૩, સૂત્ર-૧૪
શંકા : અઢીદ્વીપની બહાર જન્મ-મરણ હોય ?
સમાધાન : અઢીદ્વીપની, બહાર કોઈ મનુષ્યનો જન્મ થયો નથી, થતો નથી અને થશે પણ નહિ. અઢીદ્વીપની બહાર કોઈ મનુષ્યનું મરણ થયું નથી, થતું પણ નથી અને થશે પણ નહિ.
શંકા : મનુષ્યક્ષેત્ર (અઢીદ્વીપ)ની બહાર શું શું ન હોય ?
સમાધાન :
·
દિવસ, રાત્રિ આદિની સમય વ્યવસ્થા ન હોય, • વ્યવહારસિદ્ધ કાળ ન હોય. • ચંદ્ર - સૂર્યનું પરિભ્રમણ ન હોય અર્થાત્ સ્થિર હોય. • બાદર અગ્નિકાય ન હોય. • વીજળી, ગર્જારવ ન હોય. • અરિહંત, ચક્રવર્તી, વાસુદેવ ન હોય.
• ખાણ, નદી ન હોય. • ઘર, ગામ, નગર ન હોય.
• મનુષ્યનો જન્મ કે મરણ ન હોય.
શંકા : અઢી-દ્વીપમાં ક્યા દ્વીપ અને ક્યા સમુદ્રો આવે ?
સમાધાન : દ્વીપ સમુદ્રનો ક્રમ આ પ્રમાણે છે.
જંબુદ્વીપ, લવણ સમુદ્ર, ધાતકી ખંડ, કાલોધિ સમુદ્ર, અર્ધપુષ્કર દ્વીપ (જુઓ ફોરકલર ચિત્ર)
શંકા : અઢીદ્વીપ અને સિદ્ધશિલા ૪૫ લાખ યોજન લાંબી છે તે કેવી રીતે ?
સમાધાન : - મધ્યમાં જંબુદ્વીપ ૧ લાખ યોજન
તેને ફરતો લવણ સમુદ્ર બંને તરફ બે-બે લાખ યોજન
તેને ફરતો ધાતકી ખંડ બંને તરફ ચાર-ચાર લાખ યોજન
·
૧૯૯
·
·
તેને ફરતો કાલોદિધ સમુદ્ર બંને તરફ આઠ-આઠ લાખ યોજન
તેને ફરતો અર્ધપુષ્કરદ્વીપ બંને તરફ આઠ-આઠ લાખ યોજન આ રીતે કુલ
૮+૮+૪+૨+૧+૨+૪+૮૮=૪૫ લાખ યોજન
સાર ઃ મનુષ્યનો જન્મ માત્ર અઢી દ્વીપમાં જ થાય છે. અઢીદ્વીપની બહાર શાશ્વત પદાર્થોમાંથી જિન પ્રરૂપિત ધર્મનો અસંભવ છે.
ધર્મધ્યાનમાં ચિત્ત પરોવી આપણે એ પ્રાર્થના કરીએ કે અઢીદ્વીપના મનુષ્ય ક્ષેત્રમાં જ જન્મ મળે.