SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ અધ્યાય : ૨, સૂત્ર-૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂત્ર ર-૪ પ્રયોજન - ક્ષાયિકભાવના નવ પેટા ભેદો જણાવ્યા છે. ज्ञानदर्शनदानलाभभोगोपभोगवीर्याणि च २-४ જ્ઞાનદર્શનદાનલાભભોગોપભોગવીર્યાણિ ચ ર-૪ જ્ઞાન-દર્શન-દાન-લાભ-ભોગ-ઉપભોગ-વર્યાણિ ચ ૨-૪ શબ્દાર્થ-જ્ઞાન = કેવળજ્ઞાન, દર્શન = કેવળદર્શન, દાન-લાભ-ભોગ-ઉપભોગવીર્ય = (અંતરાય કર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થતી પાંચ લબ્ધિ) સૂત્રાર્થ - જ્ઞાન-દર્શન-દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્ય અને (સમ્યક્ત તથા ચારિત્ર એમ ક્ષાયિક ભાવના કુલ નવ ભેદો છે.) ભાવાર્થ :- ચાર ઘાતકર્મોનો સર્વથા ક્ષય થવાથી આત્મામાં જે ગુણ પ્રગટ થાય છે તેને ક્ષાયિક ભાવ કહેવાય છે. તેના નવ ભેદો છે. (૧) કેવળજ્ઞાન - જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. (ર) કેવળ દર્શન - દર્શનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. (૩-૭) દાનાદિ પાંચ લબ્ધિ :- અંતરાય કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. (૮) ક્ષાયિકસમ્યક્ત :- દર્શન સપ્તકના ક્ષયથી ઉત્પન્ન થાય છે. ક્ષાયિક ચારિત્ર:- ચારિત્રમોહનીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. ૧૨ થી ૧૪ ગુણસ્થાનકોમાં હોય છે. મૂળસૂત્રમાં સાત ગુણોનો શબ્દથી ઉલ્લેખ કર્યો છે અને છેલ્લા બે ગુણો “ચ” શબ્દથી સૂત્ર ૨-૩ માંથી લેવાના છે. શંકા - સિદ્ધોને ક્ષાયિક સમ્યગ્દર્શન કેવી રીતે હોય? સમાધાન - સમ્યગ્દર્શન એટલે તત્ત્વો પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા. શ્રદ્ધા એ માનસિક ભાવ છે. સિદ્ધોને મન હોતું નથી માટે સિદ્ધોને ક્ષાયિકદર્શન ન હોય એમ વ્યવહારથી કહી શકાય પણ નિશ્ચયનયથી આ વાત યોગ્ય નથી. કેમકે દર્શનમોહનીય અને અનંતાનુબંધી કષાયના સર્વથા ક્ષયથી પ્રગટેલું વિશુદ્ધ આત્મપરિણામ એ જ નિશ્ચય ક્ષાયિકસમ્પર્વ ગણાય છે. અને સિદ્ધભગવંતોને વિશુદ્ધ આત્મપરિણામ છે જ. માટે ક્ષાયિકસમ્યક્ત છે જ.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy