SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ અધ્યાય : ૨, સૂત્ર-૩ દર્શનમોહનીયના નીચે બતાવ્યા પ્રમાણે ત્રણ ભેદો છે. તત્ત્વાર્થાધિગમ સૂત્ર સમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય. ચારિત્રમોહનીયના ૧૬ કષાય અને ૯ નોકષાય મળીને કુલ પચ્ચીશ ભેદો છે. ૧૬ કષાયોમાં ક્રોધ-માન-માયા-લોભ અને દરેકના અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનીપ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન રૂપે ગણતા ૪ ૪ ૪ = ૧૬ થાય. ૯ નોકષાય નીચે પ્રમાણે છે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ આ રીતે મોહનીયકર્મના ભેદો અને પેટા ભેદો પેજ નં. ૮૯ ઉ૫૨ના ચાર્ટથી સહેલાઈથી સમજી શકાશે. દર્શન સપ્તક ઃ- ચારિત્રમોહનીયમાં અનંતાનુબંધીના ચાર કષાયો અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ અને ચાર્ટમાં બતાવ્યા પ્રમાણે દર્શનમોહનીયના ત્રણ ભેદો સમ્યક્ત્વ મોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય મળીને (૪ + ૩ = ૭) દર્શનસપ્તક કહેવાય છે. ઉપશમસમ્યક્ત્વ ઃ- દર્શનસપ્તકના ઉપશમથી ઉપશમસમ્યક્ત્વ ગુણ પ્રગટે છે. ઉપશમચારિત્ર :- ૯ નોકષાય અને અનંતાનુબંધી સિવાયની બાકીની ૧૨ (૪ અપ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લોભ. ૪ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ અને ૪ સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ) એમ (૯ + ૧૨ = ૨૧) ૨૧ પ્રકૃતિના ઉપશમથી ઉપશમચારિત્ર ગુણ પ્રગટે છે. ઉપશમસમ્યક્ત્વ અને ઉપશમચારિત્ર વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. શંકા ઃ- સમ્યક્ત્વ પામવા માટે યોગ્યતા અથવા નિમિત્તો કયા કયા ? સમાધાન : ♦ સંજ્ઞી પર્યાપ્ત પંચેન્દ્રિય ભવ્યજીવ જ ઉપશમ સમ્યક્ત્વ પામી શકે છે. ભવ્ય જીવ સંસારમાં અર્ધપુદ્ગલ પરાવર્તનકાળ બાકી રહે ત્યારે ઉપશમ સમ્યક્ત્વને યોગ્ય થાય છે. • આત્મામાં કર્મોની અંતઃ કોડાકોડી સાગરોપમ સ્થિતિ બાકી રહે ત્યારે જીવ તે સમ્યક્ત્વને યોગ્ય થાય છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy