________________
ઉમેદવારો છે. એ બંને જણ આવીને પ્રશ્ન પૂછે છે કે ‘બેરિસ્ટર સાહેબની ઉદારાતનો લાભ મળશે ?”
આ બેમાંના ચતુર્ભુજભાઈ બેરિસ્ટર સાહેબની જ્ઞાતિના સભ્ય છે. સ્વચતુષ્ટયમાંની એક અપેક્ષા-સ્વક્ષેત્રની અપેક્ષાને લક્ષમાં લઈને આપણે તેમને કહી દઈશું કે ‘બેરિસ્ટરનો ઉદારતાનો લાભ તેમને મળો
અહીં પ્રથમ ભંગની અપેક્ષાએ નક્કી થયું કે ‘બેરિસ્ટર સાહેબ ઉદાર છે.’
પેલા ગંગાધરભાઈ બેરિસ્ટરની જ્ઞાતિના સભ્ય નથી. ઉદારતા માટેનું આ ‘૫૨-ક્ષેત્ર' હોવાથી, એ ૫૨-ક્ષેત્રની અપેક્ષાએ ગંગાધરભાઈને તો આપી કહી દઈશું કે
‘બેરિસ્ટર સાહેબ ઉદાર નથી.’
પહેલા અને બીજા ભંગ અનુસાર આ બંને વાતો જે આપણે કરી તેથી પ્રથમ આવેલા ચત્રભુજભાઈને આશા બંધાતાં તેઓ આપણી પાસે બેસે છે. પહેલાં ભંગ દ્વારા આ લાભ તેમને થયો; 'આશા બંધાઈ' બીજા ભંગ અનુસારનો જવાબ મળતાં શ્રી ગંગાધરભાઈ ત્યાંથી ચાલ્યા જાય છે. એમને લાભ એ થયો કે બેરિસ્ટરની ઉદારતા તેમને માટે નથી જ એવો નિશ્ચિત જવાબ મળવાથી ખોટી આશા રાખીને મિશ્રા ફાંફા મારવામાંથી તેઓ બી.
ગયા.
પેલા ગંગાધરભાઈ ચાલ્યા ગયા અને પોતે હવે એકલા જ ઉમેદવાર બાકી રહ્યા તે જાણીને ચતુર્ભુજભાઈ રાજી થયા છે. પોતાને લાભ થશે એવી આશા તેમને બંધાઈ છે છતાં વધુ ખાત્રી કરવા માટે તેઓ ફરીથી પૂછે છેઃ ‘બેરિસ્ટર સાહેબની ઉદારતાનો લાભ હું તેમનો જ્ઞાતિજન છું એટલે મળશે તો ખરો. એ લાભ મને ચોક્કસ મળશે ? બેરિસ્ટર સાહેબ શું ખરેખર ઉદાર છે ?’
આ પ્રશ્નનો આપણે શું જવાબ આપીશું ? ચક્રવર્તીના સ્વક્ષેત્રની અપેક્ષાએ આ ચતુર્ભુજભાઈ માટે તેઓ નિશ્ચિતપણે ઉદાર છે જ; પરંતુ બીજી બધી અપેક્ષાઓને આ ભાઈ પૂર્ણ કરે છે કે કેમ તે આપણે જાણતા નથી. એટલે આપણે એમને એક વાક્યમાં સ્પષ્ટ જવાબ આપવો હોય તો આપણે તેમને કહીશું કેઃ
‘બેરિસ્ટર સાહેબ ઉદાર છે અને નથી.' આવો, પરસ્પર વિરોધી જવાબ સાંભળીને ચતુર્ભુજભાઈ આપણી
પાસે એ માટે ખુલાસો માગે છે ત્યારે આપણે તેમને કહીએ છીએ કે બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા સર્વ કાળું, સર્વ સ્થળે (ક્ષેત્ર) અને સર્વભાવે કામ કરતી નથી. પ્રગટ થતી નથી. એ માટેની શરતો (અપેક્ષાઓ) હોઈ, સ્વચતુષ્ટયની અપેક્ષાએ તેઓ ઉદાર છે અને પરચતુષ્ટયની અપેક્ષાએ તેઓ ઉદાર નથી.
આ ચતુર્ભુજભાઈ પોતે બેરિસ્ટર ચક્રવર્તીની જ્ઞાતિના છે એટલે એ એક અપેક્ષા પરિપૂર્ણ થવાને કારણે બેરિસ્ટર સાહેબને ત્યાં જવાનો વિચાર કરીને આપણને પૂછે છેઃ ‘તો હું બેરિસ્ટર પાસે જાઉં તો મને ફાયદો થશે. *
આ પ્રશ્નના જવાબમાં એક સ્પષ્ટ અને નિશ્ચિત વાત જો ક૨વી હોય તો આપશે માટે ચોથા ભગવાનો ઉત્તર જ અનુકૂળ અને વાસ્તવિક બનશે. આપણે એમને તરત જ કહી દઈશું કેઃ “અવક્તવ્ય અર્થાત્ કાંઈ કહી શકાય નહિ.’
અહીં આપણે ચતુર્ભુજભાઈને, લાભ મળશે કે નહિ મળે એ પ્રબુદ્ધ સંપ્રદા
૨૯૦
બેમાંથી એક પણ વાત નિશ્ચિતપણે કહી શકતા નથી. કેમકે મળવું અથવા નહિ મળ્યું તે સ્વ અને પર ચયની અપેક્ષાને આધીન છે. તે ચતુર્ભુજભાઈને આપણે એક નિશ્ચિત અને અસંદિગ્ધ જવાબ આપવા માગીએ છીએ. એ ભાઈ કેટલી અપેક્ષાઓને પરિપૂર્ણ કરે છે તે આપણે જાણતા નથી અને આપણે એમને અંધારામાં કે ખોટી આશામાં પણ રાખવા માગતા નથી. એટલે ચોથા ભંગ અનુસારનો આ નિશ્ચિત અભિપ્રાય આપણે તેમની સમક્ષ રજૂ કરીએ છીએ.
આમ છતાં, ‘કંઈ કહી શકાય નહિ' એવો જવાબ આપીને ચતુર્ભુજભાઈને આપણે નિરાશ કરતા નથી. બેરિસ્ટર સાહેબની ઉદારતા અંગેની બધી અપેક્ષાઓથી આપણે તેમને વાકેફ કરીએ
છીએ અથવા તો આપણા જવાબ દ્વારા એ બધી શરતોથી માહિતગાર થવાનું આપણે તેમને સૂચવીએ છીએ.
હવે ચતુર્ભુજભાઈ આપણને જણાવે છે કેઃ હું બેરિસ્ટર સાહેબની જ્ઞાતિનો સભ્ય છું અને મારે મારા પુત્રના શિક્ષણ અંગે સહાયની જરૂર છે.
આ વાત કરીને ઉદારતાના આ ઉમેદવાર ત્ર ઉપરાંત ભાવની અપેક્ષાને પરિપૂર્ણ કરે છે. એમનો કેસ એટલો મજબૂત બને છે, એટલે બેરિસ્ટર સાહેબની ઉદારતાનો લાભ તેમને મળવો જોઈએ. આમ છતાં બીજા અપેક્ષાઓ પૂર્ણ થાય છે કે કેમ તે આપણે જાણતા નથી. એટલે, પાંચમા ભંગનો આશ્રય લઈને આપણે એમને એવી સ્પષ્ટ જવાબ આપી શકીશું કેઃ
‘બેરિસ્ટર સાહેબ ઉદાર છે અને અવક્તવ્ય છે અર્થાત્ કંઈ કહી શકાય નહિ' એટલે બેરિસ્ટર ઉદાર તો છે જ પણ એમનો લાભ ચતુર્ભુજભાઈને મળશે કે કેમ તે નિશ્ચિતપણે કહેવાની સ્થિતિમાં હજુ આપણે આવ્યા નથી. એટલે, આપણો આ જવાબ તદ્દન સ્પષ્ટ અને વાસ્તવિક છે.
હવે, આ ચતુર્ભુજભાઈ સાથે વાતચીત કરતાં આપણાને જાણાવા મળે છે કે તેઓ સામાન્ય રીતે સુખી કહી શકાય તેવી સ્થિતિના છે. એમના જણાવવા મુજબ, ઘરના સામાન્ય ખર્ચ પુરતી આવક એમને છે; પરંતુ એમના પુત્રના કૉલેજમાંના ઉચ્ચ શિક્ષણ અંગે થતા ખર્ચને પહોંચી વળવામાં એમને મુશ્કેલી પડે છે.
આ વાતથી. તેઓ 'ગરીબ' નથી એમ નક્કી થઈ જાય છે. બેરિસ્ટરની ઉદારતા સ્વ-ક્ષેત્રની જે અપેક્ષા, તેઓ તેમની જ્ઞાતિના હોવાથી પૂર્ણ થતી હતી તે અહીં કાચી પડી જાય છે. અને અન્ય અર્પક્ષાઓ તો પાછી ઉભેલી જ છે. આ સંજોગોમાં બેરિસ્ટર સાહેબની ઉદારતાનો લાભ એમને નહિ મળે એવો નિશ્ચિત અભિપ્રાય આપણે બાંધી લઈએ છીએ, આમ છતાં, એમની સફળતા કે નિષ્ફળતાનો આધાર, ઉદારતા અંગેના બેરિસ્ટર સાહેબના ‘સ્વયંત્ર'ની અપેક્ષા પરિપૂર્ણ થાય છે એ વાતની પ્રતીતિ તેઓ સાહેબને કેવી રીતે થાય છે એના ઉપર હોવાથી, હવે છઠ્ઠા ભંગનો આશ્રય લઈને આપણે ચતુર્ભુજભાઈને કહીશું કેઃ
બેરિસ્ટર સાહેબની ઉદારતા નથી અને અવક્તવ્ય છે.’
અર્થાત્, ચતુર્ભુજભાઈ ગરીબ હોય તેવું આપણને લાગતું નથી એટલે બેરિસ્ટર સાહેબ ૫૨ ક્ષેત્રની અપેક્ષાએ ઉદાર નથી. જ્યારે તે સિવાયની બીજી અપેક્ષાઓ માટે ચિત્ર અસ્પષ્ટ હોવાથી, ચતુર્ભુજભાઈ તેમની પાસે જાય તો શું પરિણામ આવશે એ આપણે જાણતા નથી એનું વર્ણન આપી કરી શકતા નથી