SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ એકાંતે વ્યવહા૨ નહિ, બન્ને સાથે રહેલ. (૧૩૨) અનેકાન્તવાદનું આવું સરળ, મનોરમ ચિત્રા અન્યત્ર ક્યાં પ્રાપ્ત થયા વિના રહેશે નહીં મો • ઉપાદાન અને નિમિત્તઃ ચૈતન અને જડ વસ્તુનું વસ્તુસ્વરૂપ યથાતથ્ય, જેમ છે તેમ અને અને નયનિક્ષેપો સહ સમાગ્રતામાં (In Totality) (સંતુલન અને જડ અને ચૈતન્યની ભિન્નતા દર્શાવી ચેતનની પ્રેરણાની મહત્તા સમન્વયપૂર્વક અહીં જે દર્શાવાયું છે તે સાધકને શ્રી જિનકચિત દર્શાવતાં શ્રી આત્મસિદ્ધિ શાસ નિરૂપે છે, મોક્ષમાર્ગ આરુઢ કરાવનારું છે. આ વસ્તુસ્વરૂપ દર્શનમાં અનેકાંતવાદ સુસ્પષ્ટ થયો છે. જિનવાણીને, જિન-દર્શન, જૈન દર્શનને, પચ્ચીસસો વર્ષ પૂર્વેના રૂપે પ્રતિધ્વનિત કરતા આ આત્મસિદ્ધિ શાસ્ત્રની કેટકેટલી અનુમોદના, અભિવંદના, સ્તવના, આરાધના કરીએ ? તેમાંની જ ‘અનંત અનંત ભાવભેદો ભરી’ અનેકાંતિક શૈલીની કેટલી ભુજના કરીએ ? શ્રી આત્મસિતિ શાસના રચયિતાની આ જિનેશ્વરવાણીનો મહિમા જાણે આ આત્મસિદ્ધિ નિહિત અનેકાંતિક વાણીને પણ લાગુ પડે છેઃ ‘અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાનની છે. અનંત અનંત... આ મહિમામી અનંત વાણીને, તેના ઉદ્દાતાને અત્યંતરાઃ નમસ્કાર કરીને, આ વાણીના માધ્યમ દ્વારા, આપણે પણ એના આદિ મહાોષક મહાવીર પ્રભુના શ્રીચરણ પહોંચી જઈએ એ દિવ્ય સમવરણમાં અને શ્રવણ કરી ધન્ય થઈએ- ગાધરવાદની એ પરમ પ્રબંધક, સ્વપર- પ્રકાશક જિનવાણી. દેહ છતાં જેની દયા વર્ષે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અતિ!' || ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ।। ‘હોય ન ચેતનપ્રેરણા, કોણ ગ્રહો તો કર્મ? જડ સ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી ધર્મ.' (૭૫) ‘જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ; તેથી સહજ સ્વભાવ નહિ, તેમજ નહિ જીવધર્મ.’ (૭૫) અગી જડ-ચેતનના વિવેક ભણી આંગળી ચીંધી છે. તે જે રીતે નિમિત્ત અને ઉપાદાન બંનેનું પણ અનેકાંતિક સમાન મહત્ત્વ અને સ્થાન બતાવાયું છે આ ગાથામાં ઉત્પાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત.’ (૧૩૬) • વાણી વિચારા અંતઃકા અને આચરણાઃ ‘મનસ્ય અન્યત્ વવસ્વ ગન્યદ્ ાર્ય ઝપ્' એવા વિપરીત મન-વાણી- વ્યવહાર ને અંતઃકરણા- આચાર ભિન્નતાભર્યા ઉપદેશો- તથાકષ્ઠિત ધાર્મિકજનોને ઢંઢોળતી આત્મસિદ્ધિની વાણીમાં પણ, ત્રિવિધ યોગોની એકતામાં પા, અનેકાંતવાદ જ નથી ભર્યો ? ઉદા. ‘મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ.’ (૧૩૭) આમ આત્માની સમગ્ર સિદ્ધિ કરનારા આ પરમમ્રુતની અપૂર્વ વાણીમાં, જૈનદર્શનનો અનેકાંતવાદ સગ સંશોધકોને સર્વત્ર આત્માના ‘ષપુિ' જૈન દર્શનકારોએ, આત્માના ‘ષરિપુ' નામથી ઓળખાતા છ શત્રુઓ બતાવ્યા છે. એ આત્મશત્રુઓના નામ છેઃ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આધ્યાત્મિક વિકાસમાં અડચણ ક૨ના૨ા આ છ દુશ્મનો, ભૌતિક વિકાસમાં પણ એવા જ અને એટલા જ અડચણકર્તા છે. આ વાત બરાબર યાદ રાખવા જેવી છે. એ બહુ મોટા અવગુણો છે. વ્યવસ્થિત જીવનના વિકાસમાં આ અવો બાધક તત્ત્વો *Blocking elements' છે. ‘અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ' એ પાંચ મિત્રોની સહાયતા લઈને આ છ શત્રુઓનો પરાભવ કરવા માટે રણે ચડવું એ પ્રત્યેક વિવેકપૂર્ણ મનુષ્યનો પ્રાથમિક પુરુષાર્થ છે. આ વાતને ઉંચી મૂકીનેજીવન જીવવાનો માર્ગ નક્કી થાય જ નહિ. એને લક્ષ્યમાં રાખીને આપણે જે વન વીએ, એ વિશુદ્ધ આદપ્રાંદકારક નંદનવન છે. એને બાદ કરીને ચાલીએ તો વન એક ઝંઝટ છે, મહાઝંઝટ છે. એ મહાઝંઝટમાંથી છૂટવા માટે સ્યાદ્વાદ શ્રુતધારક અનેકાન્તવાદના અદ્ભુત તત્ત્વવિજ્ઞાનનો આશ્રય ઘેવાની અનિવાર્ય આવશ્યકતા રહે જ છે. દીર્ઘદષ્ટા સિદ્ધસેન દિવાકરજી શ્રી સિદ્ધસેન દિવાકરજીના જીવન સંબંધી અને દિવદંતીઓ જાણવા મળે છે. એમાંની એક થોડી અલગ પ્રકારની છે. આ વાર્તા મુજબ તેઓ એકવાર વિહાર કરતા ચિત્તોડગઢ પહોંચ્યા. દેરાસરના પ્રાંગણમાં આવેલ એક સાંભ ઉપર એમની નજર પડી. આ સાંભ થોડા અલગ પ્રકારનો એમને જણાયું, તેમણે પાસેના જંગલમાંથી થોડી વનસ્પતિઓ મંગાવી. તથા એમાંથી એક લેપ તૈયાર કરી સ્તંભ ઉપર એને ધીરેથી વિધિસર લગાવ્યો. એમના આશ્ચર્ય વચ્ચે એ સ્તંભ કમળકની જેમ ખુલ્યો, એમાં ઘણાં પુસ્તકો સંગ્રહિત થયેલા હતા. દીવાક૨શ્રીએ એમાંથી બે પુસ્તકો જોયા અને તરત જ એક દૈવી ધ્વનિ સંભળાયો કે એ સ્તંભ ખોલવા માટેનો ચિત્ત સમય હજી પાક્યો નથી. દીવાક૨શ્રીજીએ સ્તંભને પુનઃ એ જ સ્થિતિમાં ગોઠવ્યો. તેમણે એમાંથી જે બે વિદ્યા ગ્રહણ કરી તે ૧. લશ્કર ઉત્પન્ન ક૨વા માટેની ‘સરસપ' વિદ્યા. આ વિદ્યાને આજના સમયના રૉબો સાથે સરખાવી શકાય. ૨. સ્વર્ણ સિદ્ધિ મંત્ર-આપણે ત્યાં ‘પારસ પત્થર'ની ઘણી કાનાં છે. ઉપરાંત દેદાશા અને ત્યારબાદ આનંદઘનજીના સમયમાં પકા એક સંન્યાસીએ આવા રસ તૈયાર કર્યો હતો. ૨૨૭ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં અનેકાન્તવાદ
SR No.034161
Book TitlePrabuddha Sampada Agam Grantho Karmvad ane Anekantvadno Sanchay
Original Sutra AuthorN/A
Author
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy