________________
ત્રિબષ્ટિશલાકામાં પુરુષના ચરિત્રોમાં આ મહાપુરુષોના અનેક ભવની વાત આવે છે. ઉપરાંત જૈન કથાનુોગમાં પુનર્જન્મને સાંકળતી અનેક કથાઓ અંકિત છે. જૈનદર્શન સ્પષ્ટ કહે છે કે, • જ્ઞાનનો આધાર દેહ નથી.
દેહથી પોતાનું સ્વતંત્ર તત્ત્વ ધરાવનાર કોઈ જુદું તત્ત્વ દેહમાં કરતાં જેનું વિશેષ જ્ઞાન છે તે જાણે; અથવા જેને જાતિસ્મૃતિજ્ઞાન છે (આત્મા). છે, તે પુરુષના (અથવા સ્ત્રીના) સંબંધમાં કોઈ જીવ પૂર્વભવે આવ્યો છે, વિશેષ કરીને આવ્યો છે તેને સંબંધ જણાવતાં કંઈ પણ સ્મૃતિ થાય તો તેવા જીવને પણ પ્રતીતિ આપે.
* દેશના નારા સાથે એ તત્ત્વનો નાશ થતો નથી.
ગત જન્મોની સ્મૃતિ હકીકત આ ત્રણ વાત પુરવાર કરે છે. જૈનદર્શન આવી સ્મૃતિને જાતિસ્મરણ 'જ્ઞાન' કહે છે.
જૈન ધર્મ આત્મવાદી ધર્મ છે. આત્માને તે શાશ્વત માને છે, આથી પુનર્જન્મમાં તેને દૃઢ વિશ્વાસ છે.
જે પુરુષો યોગધ્યાનાદિકના અભ્યાસબળ વડે સ્થિત હોય તેમાંના ઘણા પુરુષો ભવાંતર જાણી શકે છે, અને એમ બનવું એ કાંઈ કલ્પિત પ્રકાર નથી. જે પુરુષને આત્માનું નિશ્ચયાત્મક જ્ઞાન છે, તેને ભવાંતરનું જ્ઞાન ઘટે છે, હોય છે. કચિત્ શાનના તારતમ્ય ક્ષયોપશમ ભેદે તેમ નથી પણ હોતું; તથાપિ જેને આત્માનું પૂર્ણ શુદ્ધપણું વર્તે છે, તે પુરુષ તો નિશ્ચય તે જ્ઞાનને જાણે છે, ભવાંતરને જાણે છે. આત્મા નિત્ય છે, અનુભવરૂપ છે, વસ્તુ છે. ભગવતી સૂત્રમાં ભવાંતરનું વર્ણન કર્યું છે.
મતિની નિર્મળતાને કારણે પાછળના અને પછીના ભવનું જ્ઞાન સંભવી શકે છે તેમ બની શકે છે. વાદળાં વગેરેનાં ચિન્હો પરથી વરસાદનું અનુમાન થાય છે, તેમ આ ભવની ચેષ્ટા પરથી તેના પૂર્વકારણ કેવાં હોવાં જોઈએ એ પણ સમજી શકાય; થોડે અંશે વખતે સમજાય તેમ જ ચેષ્ટા ભવિષ્યમાં કેવું પરિણામ પામશે તે પણ તેના સ્વરૂપ ઉપરથી જાણી શકાય; અને તેને વિશે વિચારતાં કેવી ભવ થવો સંભવે છે, તેમ જ કેવો ભવ હતો, તે પણ વિચારમાં સારી રીતે આવી શકવા યોગ્ય છે.
પુનર્જન્મ એટલે આત્મા સાથે જ્યાં સુધી ક્રર્મોથી સંલગ્ન છે ત્યાંસુધી આત્માનું પુનઃ પુનઃ દેહધારણ થયા કરે છે. મતલબ કે ફરી જનમ, ફરી મરણ. વારંવાર જન્મ-મરણ એટલે પુનર્જન્મ,
ભવભ્રમણ.
નવજાત શિશુને સ્તનપાન કરવાનું કોણ શીખવે છે? કોઈ જ નહીં, છતાં તન્મની આહારસંશાના પ્રભાવે શિશુ ધાવણ માટે વલખે છે. પૂર્વજન્મની સંસ્કારજન્ય સ્મૃતિનું પરિણામ છે. તાજા જન્મેલા બાળકને સુખ-દુઃખની અનુભિતિ થાય છે, તે પણ તેના જન્મજન્માંતરના સંસ્કારને આભારી છે.
પુનર્જન્મ એ કર્મબદ્ધ જીવાત્માની અવસ્થાનું પરિવર્તન છે. આત્મા ક્યારેય મરતો નથી, મરે છે તેનો માત્ર દેહ, દેહ મરતા આત્મા એના સૂક્ષ્મ શરીર સાથે, પોતાના કર્માનુસાર બીજો જન્મ લેવા પ્રયત્નશીલ બને છે અને નો જન્મ ધારણ કરી લે છે.
એવો એકાંતિક નિયમ નથી કે આ જન્મમાં કરેલા શુભઅશુભ કર્મના ફળ આ જીવાતા જીવનમાં જ મળે. તેના ફળ તેને બીજા ભવોમાં પણ મળતાં હોય છે. કરેલાં કર્મના ફળ ભોગવવાં જ પડે છે. તે માટે પુનર્જન્મ થતો જ રહે છે.
પરલોક-પુનર્જન્મ આજના વિજ્ઞાનીઓ માટે સજ્જડ પુરાવાઓ સાથે પડકાર બન્યા છે. આ માટે આધુનિક વિજ્ઞાનીઓ પાસે પરામાનોવિજ્ઞાન Para Psychology નામનું વિશિષ્ટ વિજ્ઞાન છે. ભારતમાં અને વિદેશોમાં આ વિષય પર વિશદ અને મહત્ત્વપૂર્ણ સંશોધન થયાં છે, થઈ રહ્યાં છે અને ઘણા વિજ્ઞાનીઓ જાહેરમાં પુનર્જન્મનો સ્વીકાર કરી રહ્યા છે.
પુનર્જન્મની યાદના અનેક કિસ્સાઓ બન્યા છે. પુનર્જન્મની સત્ય ઘટનાઓ નોંધપાત્ર સંખ્યામાં બની છે. પૂર્વજ઼ન્મોની ઘટનાઓ આ જન્મમાં યાદ આવવી તેને જૈનદર્શન ‘જાતિસ્મરણ જ્ઞાન' કહે છે. આ શાનના હજારો પ્રસંગો ધર્મગ્રંથોમાં અને આજના અખબારો અને સામયિકોમાં ગ્રંથસ્થ થયાં છે.
જ્યોર્જ બર્નાડ શૉ પ્રખર બુદ્ધિવાદી હતા. જગવિખ્યાત બ્રિટિશ નાટ્યકાર હતા. મહાત્મા ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધીની સાથેના એક વાર્તાલાપમાં એમણે કહ્યું હતું કે, 'મારી ભાવના આવતા ભવે ભારતના કોઈ જૈન પરિવારમાં જન્મ લેવાની છે.' આ વાર્તાલાપમાં પુનર્જન્મનો સિદ્ધાંત દર્ગોિચર થાય છે.
અમુક દેશમાં, અમુક ગામ, અમુક ઘે૨ પૂર્વ દેહ ધા૨ણ થયો હોય અને તેનાં ચિન્હો બીજા જીવને જણાવવાથી તે દેશાદિનું અથવા તેના નિશાનાદિનું કંઈ પણ વિદ્યમાનપણું હોય તો બીજા જીવને પણ પ્રતીતિનો હેતુ સંભવે છે; અથવા જાતિસ્મૃતિજ્ઞાનવાન
૧૫૯
નવજાત, શિશુના હાસ્ય, કંપ અને રુદનના કાર્યો તેના વર્તમાન જીવનના કોઈ પણ શિક્ષણ કે અનુભવ વિના પણ થતાં જોવામાં આવે છે. આ કાર્યો તેનામાં ઉત્પન્ન થયેલાં હર્ષ, ભય અને શોકને પ્રદર્શિત કરે છે. જો અમુક અનુભવ પૂર્વનો ન માનીએ તો અનુકૂળ સંજોગોમાં હર્ષ, મોટો અવાજ આદિ થતાં, ભય અને ભૂખ લાગતાં શોકનો અનુભવ તેને ક્યાં કારોથી સમજી શકાય? સ્તનપાન કરવાની ઈચ્છાથી પ્રેરાઈને જ તે શિક્ષુ ભૂખની નિવૃત્તિ અર્થે સંકલ્પપૂર્વક પ્રવૃત્તિ કરે છે, જેથી આ કાર્ય ભૂખનિવર્તક છે એમ તેને પૂર્વ અનુભવ હોવો જોઈએ તેમ સાબિત કરે છે. આવા પૂર્વસંસ્કાર આ જન્મમાં તો પ્રાપ્ત થયા નથી, તે પૂર્વજન્મમાં પ્રાપ્ત થયા હોવા જોઈએ એમ સ્વીકારતાં પૂર્વજન્મ સાબિત થાય છે અને તેથી પુનર્જન્મ પણ આપોઆપ સાબિત થઈ જાય છે.
પુનર્જન્મ દર્શાવતાં જીવનવૃત્તાંતો
પુનર્જન્મને દર્શાવતા અને પૂર્વભવનું સ્મરણ થયું હોય તેવા મનુષ્યોને લગતી અનેક વાર્તા અવારનવાર પ્રગટ થતી રહે છે. અને માનસશાસ્ત્રીઓ Psychologists તથા વર્લ્ડ માનપત્રો ના સંવાદદાતાઓ અનેક પ્રસંગોને રજૂ કરે છે. અહીં તો આપણે ત્રણ મનુષ્યોના જીવનપ્રસંગોનો ટૂંકમાં વિચાર કરીશું. જેઓની પ્રસિદ્ધિ પોતપોતાના ક્ષેત્રમાં, ભારતના જ નહિ પણ સમસ્ત વિશ્વના પ્રથમ પંક્તિના પુરુષોમાં થયેલી છે.
જૈન ધર્મનો કર્મવાદ અને પુનર્જન્મ