SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસ્થાન વગેરે પણ બદલાઈ જાય છે એની સુવિસ્તૃત સમજણ આ કર્મગ્રંથથી પ્રાપ્ત થાય છે. જે તે ગુણસ્થાને આવ્યા પછી ત્યાં જેટલી પ્રકૃતિ બાંધી શકતો હોય એ કર્મપ્રકૃતિના બંધનો અને સ્વામી કહેવાય છે માટે આ ગ્રંથનું નામ બંધ સ્વામીત્વ રાખવામાં આવ્યુ છે . આ થનો વિષય માર્ગ ણાને અનુ સરીને છે માટે મંગલાચરણ પછી માર્ગણાની ગાથાથી શરૂઆત થઈ છે. માર્ગાને પથિૌધપીઠિકા પણ કહેવામાં આવે છે. માર્ગણા કર્મગ્રંથની રચના કરી છે. એના વિષયો ગહન છે છતાં સારી રીતે સમજીએ તો આનંદની અનુભૂતિ પણ થાય છે. કમ્મપયડી અને શતક પ્રકરણની રચના પૂ. શ્રી શિવસૂરિ મ.સા. અગ્રાયણીપૂર્વ અને ગ્રંબંધવિધાનમાંથી કરી છે. તેને સરળ કરીને પાંચમા કર્મગ્રંથની રચના કરી છે. गइ इन्दिए य काए, जोए वेए कसाय नाणे य । संजम दंसण लेसा, भव सम्मे सन्नि आहारे ।। ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્ય, સમ્યક્ત્વ, સંશી અને આહારક એ ૧૪ માર્ચા છે. તેના ૬૨ પેટાભેદ છે. જે નીચે મુજબ છે. (૧) ગતિ-૪ (૨) ઈન્દ્રિય-૫, (૩) કાય-૬,(૪) યોગ-૩(૫) વેદ- ૩. (૬) કષાય-૪.(૭) જ્ઞાન-૮.(૫ જ્ઞાન+૩ અજ્ઞાન)(૮) સંયમ ૭. (૯) દર્શન-૪. (૧૦) ભૈશ્યા . (૧૧) ભવ્યાભવ- ૨. (૧૨) સમ્યક્ત્વ-૬, (૧૩) સંશી-૨, (૧૪) આહારક- ૨. આ૧૪ માર્ગણાના કુલ પેટાભેદ ૬૨ થાય છે. આ ૬૨ ભેદમાં જેને જે ગુન્નસ્થાન હોય એ દરેક ગુણસ્થાનમાં જેટલી કર્મપ્રકૃતિ બંધાય એનું સુપેરે વર્ણન આ કર્મગ્રંથમાં આવ્યું છે. (૪) ધડશીતિ-પ-અશનિ ૬+૮૦-૮૬ પડીત એટલે કે જેમાં ૮૬ ગાથા છે તે ધડશીત નામની ચોથી કર્મગ્રંથ છે. આ કર્મગ્રંથમાં સૂક્ષ્મદ્રષ્ટિથી જીવસ્થાનકાદિ વિષયોની વિચારણા કરેલી હોવાથી આ ગ્રંથનું નામ ‘સમાાર્યવિચાર' પણ છે તેમ જ આ ગ્રંથમાં આગમમાં કરાયેલ પદાર્થની વિચારણાનો સાર હોવાથી બીજું નામ ‘આગમિક વસ્તુ વિચાર સાર” પણ છે. આ ગ્રંથમાં કર્મના વિષય સાથે સંબંધ ધરાવતા અને કર્મનું જ્ઞાન પાકું થાય માટે કેટલાક પ્રકીર્ણ વિષયો ક્રમસ૨ અને પદ્ધતિસર આપવામાં આવ્યા છે. જ્યારે પરિપક્વ બુદ્ધિવાળા સાધકને આગળના ગ્રંથોનો અભ્યાસ કર્યા પછી વધુ ને વધુ જાણવાની ઈચ્છા જાગે છે. ત્યારે તે આગળ વધતા ચોથા-પાંચમા-છઠ્ઠા કર્મગ્રંથોનો અભ્યાસ કરવા પ્રેરાય છે. સામાન્ય જાણકારી માટે પ્રથમના ત્રણ ગ્રંથો પુઆ છે. આ ગ્રંથમાં (૧) જીવસ્થાનક (જેમાં જીવો રહે છે તે) (૨) માર્ગણાસ્થાન (વાદિ પદાર્થોની વિચારણા જેમાં છે તે) (૩) ગુણસ્થાન (૪) ઉપયોગ (ચેતનની ક્રિયા) (૫) યોગ (૬) વેશ્યા (૭) બંધ (૮) અલ્પબહત્વ (કોણ કોનાથી ઓછા વધુ છે એની વિચારણા) (૯) ભાવ (જીવ અને જીવનું સ્વાભાવિક વૈભાવિક રૂપે પરિણમન) (૧૦) સંખ્યાતાદિ માપ (ડાલા-પાલાનું સ્વરૂપ) વગેરેની સૂક્ષ્મ વિચારણા રજૂ કરવામાં આવી છે માટે એને ‘સૂક્ષ્માર્થવિચાર’ કહેવામાં આવે છે. જેનું સારી રીતે અધ્યયન કરવું જરૂરી છે. (૫) શતક – ૧૦૦ ગાથા હોવાને કારણે પાંચમા ગ્રંથનું નામ શતક થયું છે. અવસર્પિણીકાળના પાંચમા આરામાં વો અલ્પાયુ અને મંદબુદ્ધિવાળા હોય છે. તેથી તે જીવોને ધ્રુવબંધી વગેરે વિષયનો બોધ સહેલાઈથી ક૨ાવવા માટે આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિ મ. સા. કમ્મપયડીના બંધનકરણ અને શતક પ્રકરણમાંથી શતક નામના પાંચમા ૧૨૭ આ ગ્રંથમાં ધ્રુવબંધી (બંધહેતુ પ્રાપ્ત થતાં અવશ્ય બંધાય), અવબંધી (અવ=ભજના), ધ્રુવોદયી, અવોદયી, ધ્રુવ (નિયમા) સત્તા, અવ સત્તા, યાતી અધાતી, પરાવર્તનમાન, અપરાવર્તમાન, પુણ્ય-પાપ, જીવવિપાકી, ભવ વિપાકી, પુદ્ગલ વિપાકી, ક્ષેત્રવિપાકી, વગેરેની વ્યાખ્યા સહિત પ્રકૃતિઓ બતાવી છે. ભૂયસ્કાર આદિ ચારબંધનું સ્વરૂપ પ્રકૃતિબંધમાં બતાવ્યું છે. સ્થિતિબંધમાં મૂળ અને ઉત્તર પ્રકૃતિના જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ બતાવ્યા છે. કોઈ પ્રકૃતિ સતત કેટલો કાળ બંધાય અને અબંધકાળ કેટલો વગેરે બતાવ્યું છે. ૨સબંધમાં–જીવને રહેવાનો કાળ, રસસ્થાનના છઠ્ઠાાવડિયા, મંદ-તીવ્ર રસસ્થાન, જપન્થ-ઉત્કૃષ્ટ સબંધના સ્વામી વગેરે બતાવ્યું છે. પ્રદેશબંધો-વર્ગણાનું સ્વરૂપ, કર્મ દર્દીકની વહેં ચણી જાન્ય-ઉત્કૃષ્ટ પ્રદે શબ ઘના સ્વામી અને ગુહાશ્રેણીઓ, પોપમનું સ્વરૂપ, પુદ્ગલ પરાવર્તનું સ્વરૂપ, ક્ષેપક = ઉપશમશ્રેણી ઘનીકૃત લોકાદિનું સ્વરૂપ વગેરે વિષયોનું આમાં વિવેચન છે. તે (૬) સપ્તતિકા - છઠ્ઠો કર્મગ્રંથ અતિપ્રાચીન છે તે આ ગ્રંથ - જોવાથી ખ્યાલ આવે છે. આ ગ્રંથમાં કર્મનું સર્વાંગી દૃષ્ટિએ વિવેચન થયું છે. જાણે સાગરને ગાગરમાં સમાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પ્રાચીનગ્રંથના કન્તુ કેટલા સાની હશે તે આ ગ્રંથનું અવગાહન કરવાથી ખબર પડે છે. તીર્થંકર ભગવંતે જે અર્થદેશના આપી તેને ગણધર ભગવંતોએ સૂત્રરૂપે ગૂંથી જેને દ્વાદશાંગી કહેવાય છે. તેમાં ૧૨મા દૃષ્ટિવાદ સૂત્રના પાંચ વિભાગ છે. (૧) પરિકર્મ (૨) સૂત્ર (૩) પૂર્વગત (૪) અનુયોગ (૫) ચૂલિકા. એમાંથી પૂર્વગતમાં ૧૪ પૂર્વ છે તેમાં અગ્રાયણી નામના પૂર્વમાં ૧૪ વસ્તુ બતાવી છે. તેમાં ક્ષાધિ નામની પાંચમી વસ્તુમાં ૨૦ પ્રામૃત બતાવ્યા છે. તેમાંથી ચોથા પ્રાકૃતનું નામ કર્મપ્રકૃતિ છે. તે સર્વે તીર્થંકરની વાણીરૂપ છે. તેનો જ અંશ એટલે છઠ્ઠો કર્મગ્રંથ. આ ગ્રંથમાં ૩૦ ગાથા છે માટે એનું નામ સપ્તતિકા છે. આ ગ્રંથના કર્તા પ્રાચીન આચાર્ય મહારાજ છે અને તેમણે સીધો જ બીજા અગ્રાયણી પૂર્વમાંથી એ ગ્રંથનો ઉદ્ધાર કર્યો જણાય છે. રચના ઘણી જ ગંભીર તથા પ્રસન્ન છે તે જ કાયમ રાખી છે. તે નવો રચવામાં આવેલ નથી. એમાં કર્મ પ્રકૃતિના બંધઉદયઉદીરણા તથા સત્તાના સંર્વધનો વિચાર કરવામાં આવ્યો છે. સંવૈધા સંસમ્યક્ પ્રકાર, વૈધ=ભેગા થવું. યથાયોગ્ય રીતે બંધ, ઉદય, સત્તાનું ભેગું થવું તેને બંહૃદયસત્તાનો સંવેધ કહેવાય. જે માંગા કે વિકલ્પોના નામથી પણ ઓળખાય છે. આ ગ્રંથ સ્થિતિ વગેરેના સંવૈધી સમજવાની ભૂમિકા રચી આપે છે. આ ગ્રંથમાં મૂળકર્મનો ધંધોદયસત્તાનો સંવેધ, જીવસ્થાનકમાં મૂળકર્મનો સંવેધ, ગુણસ્થાનકમાં મૂળકર્મનો સંવેધ, ઉત્તરપ્રકૃતિનો બંધોદયસત્તાનો સંવેધ, માર્ગણાદિમાં ઉત્તપ્રકૃતિનો સંવેધ તેમજ ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણીનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. આમ ઉત્તરોત્તર છએ કર્મગ્રંથો શ્રેષ્ઠ છે. એનો અભ્યાસ કરવાથી જીવનનો ઉદ્ધાર થઈ જાય છે. જીવન જીવવાની કળા પ્રાપ્ત થાય છે અને જીવન ધન્ય બની જાય છે. ★ કર્મગ્રંચનો સંક્ષિપ્ત પરિચય
SR No.034161
Book TitlePrabuddha Sampada Agam Grantho Karmvad ane Anekantvadno Sanchay
Original Sutra AuthorN/A
Author
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy