SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ મોહનીય કર્મ વીતરાગતા અને અક્ષયચારિત્ર આત્માનો ગુણ છે. શુદ્ધ જ્ઞાનોપયોગ, શુદ્ધ દર્શનોપયોગાદિ સ્વગુણમાં-સ્વભાવમાં રમવું તે અક્ષયચારિત્ર કહે વાય છે અને અક્ષયચારિત્ર ગુફાને ઢાંકનારા કર્મને મોહનીયકર્મ કહે છે. આ કર્મ વર્ન મુંઝાવે છે તેથી મોહનીય એવું તેનું નામ આપવામાં આવ્યું છે. આઠે કર્મમાં મોહ-કર્મ અગ્રભાગ ભજવે છે. બીજા કર્મો તેની પાછળ રહી તેની પૂરવણી કરતા હોય છે. વીતરાગતાને ઢાંકનારા કાર્યણસ્કંધો બે વિભાગમાં વહેંચાતા હોવાથી મોહનીય ક્રમ બે પ્રકારે છે. ૧. દર્શનમોહનીય અને ૨. ચારિત્રમોહનીય કર્મ. મોહનીય કર્મનો સ્વભાવ મદિરાપાન કરેલા મનુષ્ય જેવો છે. જેમ મદિરા પીધેલો માણસ ભાન ભૂલી જાય છે. અને ગમે તેમ બોલવા લાગે છે. બોલવાનો અને ક્રિયાનો વિવેક હોતો નથી. એ જ રીતે મોહનીય કર્મના ઉદયથી જીવનો અનંતચારિત્ર ગુણ ઢંકાઈ જાય જેને પરિણામે જીવ સ્વભાવને ભૂલી પરભાવમાં રમ્યા કરે છે. મમત્વ બુદ્ધિને કારણે પોતાનું નથી તેને પણ પોતાનું માને છે. આથી મોહનીય કર્મને મદિરાપાન સમાન કહ્યું છે. મોહનીયકર્મની અનુક્રમે ત્રણ અને પચ્ચીસ એમ કુલ અઠ્ઠાવીસ ઉત્તરપ્રકૃતિઓ છે. મોહનીય કર્મબંધના કારણ ૧૧૬ તીવ્ર ક્રોધ, માન, માયા, લોભ કરનારો, કલેશ-કષાયને કરનારો ચારિત્ર મોહનીય તથા હાસ્ય, ઠઠ્ઠા-મશ્કરી, ભય શોકાદિને આધીન થયેલો જીવ નવ-નોકષાય મોહનીય કર્મ બાંધે છે. ખોટા માર્ગને સાચો અને સાચા માર્ગને ખોટો બતાવો, જિન પરમાત્મા, સાધુ-મુનિરાજ તથા સંધાદિની વિરૂદ્ધ જનાર દર્શનમોહનીય કર્મ બાંધે છે. અર્થાત્ દેવગુરુધર્મના અવર્ણવાદ બોલવાથી, તીવ્ર રાગ કે છળકપટ કરવાથી, પાપ કર્મ કરવાથી, તીવ્ર કષાયાદિ કરવાથી જીવ મોહનીય કર્મ બાંધે છે. ચંડકૌશિકનું દૃષ્ટાંત ધર્મઘોષ નામના એક વૃદ્ધ તપસ્વી હતા. તેમના બાળશિષ્યનું નામ દમદતં મુનિ હતું. એક વાર તેઓ ગોચરી લેવા જતા હતા ત્યારે તેમના પગ નીચે એક નાની દેડકી કચડાઈને મરી ગઈ. ત્યારે બાળમુનિએ ગુરુદેવને આર્લોચના કરવાનું કહ્યું. પંરતુ આ વાત ગુરુદેવને ગમી નહીં. સાંજના પ્રતિક્રમણ બાદ બાળમુનિએ પોતાના ગુરુદેવને સવા૨ની વાત પ્રભુ મહાવીરે જ્ઞાનથી આ ચંડકૌશિકના ભવો જાણીને યાદ કરીને આલોચના કરી લેવાનું કહ્યું. પરંતુ ગુરુદેવ આ તેને પ્રતિબોધવા ચંડકૌશિક રહેતો હતો તે વનમાં આવે છે. વાત સાંભળી ખૂબ જ ક્રોધિત થઈ ગયા. વારંવાર આ જ વાત-ચંડકૌશિકે પ્રભુને જોઈને જોરથી હુંફાડો માર્યો પણ પ્રભુ ઉપર તેની કાંઈ અસર થઈ નહિ. આથી ક્રોધે ભરાઈ પ્રભુના ચરણકમલ પર ડસ્યો પણ રુધિરને બદલે દૂધની ધારા થઈ. આ જોઈ તે વિસ્મય પામ્યો. ત્યારે પ્રભુ બોલ્યાં કે, અરે ચંડકૌશિક બૂઝ! બૂઝ! ભગવાનના આવા વચન સાંભળતાં જ તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. તેથી પ્રભુને વંદન કરી મનોમન અનશન કરવાનો નિશ્ચય કર્યો. યાદ કરાવવાથી તેમના ક્રોધે માઝા મૂકી અને તેને મારવા દોડ્યા. ક્રોધમાં અહિંસક પણ હિંસક બની જાય છે. અંધારું હોવાથી વચ્ચે આવતો થાંભલો દેખાયો નહિ, અને તેમનું માથું ભટકાયું અને સજ્જડ માર લાગ્યો. આથી તેમનું મૃત્યુ થયું. મરીને બીજા જન્મમાં કૌશિક ગોત્રવાળા તાપસ બન્યા, તેમજ વનખંડના સ્વામી થયા. બીજા તાપસોને આ વનખંડમાંથી ફળ કે ફૂલ તોડવા દેતા નહિ અને જો કોઈ ફળફૂલ તોડે તો ક્રોધિત બની તેને મારવા દોડતા. એક દિવસ હાથમાં કૂહાડો લઈ ફળ તોડતા એક રાજકુમાર પાછળ દોડ્યા. કર્મ સંજોગે ખાડામાં પગ પડતાં તે પડી ગયા અને હાથમાંનો કુહાડો માથામાં જોરથી વાગતાં તત્કાળ મૃત્યુ પામ્યા. આ જન્મમાં પણ અતિક્રોધી અને મા૨વાની દુર્બુદ્ધિમાં મૃત્યુ પામવાને કારણે તિર્યંચ ગતિમાં સાપ બન્યા. પૂર્વજન્મના ક્રોધના સંસ્કારો ફરીથી સાપના જન્મમાં પણ ઉદયમાં આવ્યા. ચંડકૌશિક સાપ ભયંકર વિષધારી-દષ્ટિવિષ સર્પ બન્યો. તેના ફૂંફાડા માત્રથી પ્રાણીઓ વગેરે મરી જતા. પ્રબુદ્ધ સંપા શ્વેતાંબી નગરી તરફ જતા રસ્તામાં આ સર્પ રહેતો હતો. તેના દૃષ્ટિવિષને કા૨ણે આ રસ્તો વેરાન બની ચૂક્યો હતો. આમ ક્રોધ કષાયને કારણે મોહનીયક્રમેં બંધ થવાથી ચંડકૌશિકની મનુષ્યગતિ પણ બગડી અને તિર્યંચની દુર્ગતિમાં એને જન્મ લેવો પડ્યો. હવે વધુ પાપથી બચવા રાફડામાં મોં રાખી હાલ્યા ચાલ્યા વિના તે અનશનધારી પડ્યો રહ્યો. લોકોની અવરજવર પણ શરૂ થઈ. અને આ સર્પ દેવતા હવે શાંત થયા છે તેથી તેની પૂજા કરતાં. કોઈ શરીરે શ્રી છાંટતા, તો કોઈ દૂધ. દૂધ-ઘીની સુગંધથી અસંખ્ય કીડીઓ તેના શરીર ઉપર આવી શ્રી ખાતાં ખાતાં કરડવા લાગી. આથી સર્પનું શરીર ચારણી જેવું થઈ ગયું. પણ સર્પ દુઃસહ વેદના સહન કરતો રહ્યો અને આ બિચારી અલ્પ બળવાળી કીડીઓ દબાઈ જાય નહિ એવું ધારી પોતાનુ શરીર પણ હલાવ્યું નહિ. આ પ્રમાણે કરુણાભાવવાળો સર્પ એક પખવાડિયામાં મૃત્યુ પામી દેવલોકમાં દેવતા થયો. ★
SR No.034161
Book TitlePrabuddha Sampada Agam Grantho Karmvad ane Anekantvadno Sanchay
Original Sutra AuthorN/A
Author
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy