SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મનું નેટવર્ક કર્મનું નેટવર્ક સ્વયં સંચાલિત અને અદ્ભુત છે. જ્યાં સુધી મુક્ત ન થવાય ત્યાં સુધી ક્યારેય ન ખોરવાય એવું અવિરત ચાલ્યા જ કરે છે. મન-વચન-કાયા રૂપ બેટરીને રાગ અને દ્વેષ ક્રિયા દ્વારા સતત રિચાર્જ કર્યા કરે છે. શરીરરૂપ મોબાઈલની બોડીમાં અનાદિકાળથી Âપાયેલ આત્મરૂપ સીમકાર્ડ છે અને સત્તારૂપ મેમરીકાર્ડ છે. કર્મનું નેટવર્ક બરાબર ચાલે એ માટે આખા વિશ્વમાં કાર્મણવર્ગણારૂપ તરંગો (waves) ફેલાયેલા છે. કાર્મણવર્ગણારૂપ તરંગો આશ્રવ દ્વારા સીમકાર્ડમાં પ્રવેશે છે અને મોબાઈલનું નેટવર્ક એક્ટિવેટ થતું રહે છે. એક્ટિવેટ થતાં જ કર્મના નેટવર્કની અંતર્ગત વિવિધ અવસ્થાઓ અસ્તિત્વમાં આવે છે તેનું અહીં સંકલન કર્યું છે. (૧) બંધ આધવ દ્વારા કર્મયોગ્ય કાર્યશ વર્ગીશા કાર્યશ શરીરમાં (સીમકાર્ડ)માં આવે છે તથા આત્મા અને કાર્યન્ન વર્ગાનું જોડાણ થાય તેને બંધ કહેવાય. અથવા આત્માની સાથે સંલગ્ન કર્મોગ્ય વર્ગના કર્મના રૂપમાં પરિવર્તિત થાય એ પ્રક્રિયાને બંધ કરે છે. જીવ જેવો કાર્યણ વર્ગા સાથે જોડાઈને કર્મબંધ કરે છે કે તરત જ ચાર વિભાગમાં વહેંચાઈ જાય છે. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ બંધ. જેમ ગાય ઘાસ ખાય છે ત્યારે તે પાસ દૂધ રૂપે પરિણમે છે. તે જ સમયે દૂધમાં (૧) મીઠાશ જેવો ગુણધર્મ નક્કી થાય છે, (૨) તે કેટલું દૂધ આપશે એનું પ્રમાણ નક્કી થાય છે, (૩) તે દૂધ કેટલો સમય ટકશે તેનો નિર્ણય થઈ જાય છે, (૪) તે દૂધમાં રસ-કસ ગુણવત્તા ઓછા કે વધુ તેનો નિર્ણય થઈ જાય છે એ જ તેનો નિર્ણય થઈ જાય છે એ જ રીતે કર્મબંધ ચાર પ્રકારમાં વહેંચાઈ જાય છે. (૧) પ્રકૃતિબંધ: સ્વભાવનો નિર્ણય થવાપૂર્વક કર્મોનું આત્મપ્રદેશ સાથે એકાકાર થવું તે પ્રકૃતિબંધ (Nature). આત્માના જ્ઞાનાદિ આઠ ગુણને આવરવાની શક્તિ ઉત્પન્ન થાય છે તેને પ્રકૃતિ કહે છે. જેમ જુદા જુદા પશુઓના દૂધમાં જુદા જુદા સ્વભાવ હોય, જેમ કે ઊંટાટિયાના રોગમાં ઊંટડીનું દૂધ કામ આવે, લય જેવા રોગમાં બકરીનું દૂધ કામ આવે, કોલેસ્ટરોલને કાબૂમાં રાખવા ગાયનું દૂધ કામ આવે, શક્તિ માટે ભેંસનું દૂધ કામ આવે છે. એમ જીવની જુદી જુદી જાતની પ્રવૃત્તિને કારણે કાર્યણ સ્કંધમાં જુદી જુદી જાતના સ્વભાવનો અનુભવ કરાવી શકે એવી શક્તિ ઉત્પન્ન થાય છે. જેમ કે જ્ઞાન-જ્ઞાનીની આશાતના ક૨વાથી કાર્યણ સ્કંધોમાં અજ્ઞાની, મૂર્ખ બનાવવાની શક્તિ ઉત્પન્ન થાય તે તેનો સ્વભાવ છે. એમ આઠ કર્મોનો સ્વભાવ પ્રકૃતિવત્ જાણવો. પ્રકૃતિબંધનું કારણ યોગ છે. જો શુભ યોગ હોય તો જીવ શુભપુણ્ય પ્રકૃતિને બાંધે છે. અશુભ યોગ હોય તો જીવ અશુભપાપ પ્રકૃતિ બાંધે છે. મૂળ પ્રકૃતિ આઠ પ્રકારે છે અને તેના આવાંતર ભેદોની સંખ્યા એકસો ને અઠ્ઠાવન (૧૫૮) છે. જે કોષ્ટકમાં બતાવવામાં આવી છે. (૨) પ્રદેશ બંધ : (Quantity) પ્રકૃતિ અનુસાર દરેક વિભાગને ચોક્કસ પ્રમાણમાં પ્રાપ્ત થયેલ કર્મલિકોનું આત્મા સાથે એકાકાર થવું તે પ્રદેશબંધ, જેમ જુદા જુદા પશુઓના દૂધનો જથ્થો ઓછો વધુ હોય છે. બકરીનું દૂધ ૧-૨ લીટર પ્રાપ્ત થાય, ગાયનું ૬-૮ ૧૦૯ લીટર, ભેંસનું દસ બાર લીટર મળે એમ દરેક કર્મને જુદો જુદો જથ્થો પ્રાપ્ત થાય છે. આ જથ્થો સાત કે આઠ વિભાગમાં વહેંચાતો રહે છે. એમાંથી સૌથી મોટો હિસ્સો વેદનીય કર્મને મળે છે કારણકે વેદનીયને અનુભવવા માટે સૌથી વધારે હિસ્સો જોઈએ છે. બાકીના કર્મોને સ્થિતિ પ્રમાણે જથ્થો મળે છે. મોહનીયની સ્થિતિ મોટી છે માટે એને બીજા ક્રમનો જથ્થો મળે છે એમ ક્રમશઃ સમજવું. દા. ત. ૬૪૦૦૦ જેટલા પ્રદેશનો જથ્થો મળ્યો. એમાંથી ૪૮૦૦૦ વંદનીયને ૧૨૦૦૦ મોહનીયને, ૧૦૦૦ જ્ઞાનાવરણીયને, ૧૦૦૦ દર્શનાવરણીયને, ૧૦૦૦ અંતરાયને, ૩૭૫ નામને, ૩૭૫ ગોત્રને અને સૌથી નાનો હિસ્સો ૨૫૦નો આયુષ્ય કર્મને મળે છે. આ રીતે પ્રદેશની વહેંચણી થઈ જાય છે. પ્રદેશ બંધનું કારણ યોગ છે. જીવ યોગાનુસાર ઓછાવત્તા પ્રમાણમાં કાર્યજ્ઞસ્કંધને ગ્રહણ કરે છે. જેમ કોઈ યાત્રી ધીમેથી ચાલે તો ઓછો રસ્તો કપાય અને ઝડપથી ચાલે તો વધુ રસ્તો કપાય છે એમ કોઈ જીવની મન-વચન-કાયાની પ્રવૃત્તિ ધીમી હોય તો થોડા અને પ્રવૃત્તિ ઝડપી હોય તો વધુ કાર્યશષ્ઠ ગ્રહણ થાય છે. એટલે જીવ યોગાનુસાર કાર્યશસ્કો ઓછા ગ્રહણ કરે તો દરેક કર્મના ભાગમાં થોડા કર્મદલિકો આવે અને વધુ ગ્રહણ કરે તો વધુ કર્મદલિકો મળે. (૩) સ્થિતિબંધ– (Period) પ્રકૃતિને અનુરૂપ તે કાર્યણ સ્કંધોનું અમુક કાળ સુધી આત્મપ્રદેશોની સાથે એકાકાર થવું તે સ્થિતિબંધ. કાળ પૂરો થતાં કર્મ ખરતા જાય અને નવા કર્મ આવતા જાય. જેમ ગાય આદિનું દૂધ ઉનાળામાં જલ્દી બગડી જાય. શિયાળામાં ઠંડકમાં લાંબો સમય ટકે એ જ રીતે નામ ગોત્રના પુદ્ગલ વધુમાં વધુ (ઉત્કૃષ્ટ) ૨૦ ક્રોડાકોડી સાગરોપમ સુધી આત્મપ્રદેશો ઉપર ચોંટી રહે છે. તેમ જ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, અંતરાય, એ ચાર કર્મના સ્કંધો વધુમાં વધુ ૩૦ ક્રોડાકોડી સાગરોપમ સુધી ટકે છે, મોહનીય કર્મના પુદ્ગલો વધુમાં વધુ ૭૦ ક્રોડાકોડી સાગરોપમ સુધી ચોંટેલા રહે છે. સૌથી ઓછો સમય-આયુષ્ય કર્મના વધુમાં વધુ ૩૩ સાગરોપમ સુધી ચોંટી રહે છે. બધા કર્મોનો ઓછામાં ઓછો (જય) કાળ અંતર્મુહૂર્તનો છે. એમાંય શાતા- વેદનીયનો કાળ તો માત્ર બે સમય સુધી ટકવાનો છે. સ્થિતિબંધનું કારણ કષાય છે એટલે કષાયની માત્રા પ્રમાણે કાર્યણસ્કંધમાં સ્થિતિનો નિર્ણય થાય છે. જો કષાયની માત્રા વધુ હોય તો તે વખતે ગ્રહણ કરાતાં કાર્યણસ્કંધો આત્મપ્રદેશ ૫૨ વધુ અને જો કષાયની માત્રા ઓછી હોય તો ઓછો સમય ચોંટી રહે છે. (૪) અનુભાગ-૨સબંધ (Intensity-Quality): કર્મની તે પ્રકૃતિ ઓછા કે વધારે જુસ્સા-બળથી શુભારંભ કર્મનો અનુભવ કરાવે તે રસબંધ કહેવાય. જેમ કોઈ પશુના દૂધમાં મીઠાશ વધુ હોય, કોઈમાં ઓછી. વળી ઘનતા કે ચિકાશનું પ્રમાણ પણ ઓછું વધુ હોય. બકરીના દૂધમાં ચિકાશ ઓછી અને ભેંસના દૂધમાં વધુ હોય. એ જ દૂધને ઊકાળવામાં આવે તો ચીકાશ વધે છે અને પાણી નાખીએ તો ચીકાશ ઓછી થાય છે. એ જ રીતે કષાયની માત્રાનુસાર શુભાશુભ કર્મપ્રકૃતિમાં રસબંધ થાય છે, જેમ જેમ કાર્યોની તીવ્રતા વધતી કર્મનું નેટવર્ક
SR No.034161
Book TitlePrabuddha Sampada Agam Grantho Karmvad ane Anekantvadno Sanchay
Original Sutra AuthorN/A
Author
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy