SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ અંશે ઘાત (આવરા) કરે છે તે દેશધાતી કહેવાય છે. જેમ કે સૂર્ય વાદળાથી ઢંકાયેલો હોવા છતાં પણ દિવસ કે રાતનું જ્ઞાન થાય છે. તેમ કેવળજ્ઞાન ધનધાતી કર્મો દ્વારા ઢંકાયેલું હોવા છતાં પણ કેવળજ્ઞાનનો અને તમો ભાગ આંશિકભાગ રૂપે બુર્ઝા રહેવાથી મતિ આદિ જ્ઞાનમાં વહેંચાઈ જાય છે. એટલે મતિઆદિ ચાર જ્ઞાન દેશયાતી ગણાય છે. દેશધાનીની મતિ જ્ઞાનાવરણીય આદિચાર, ચદર્શનાવરણીય આદિ ત્રણ, સંજ્વલન કષાય-ચાર, નૌકાય-નવ અને અંતરાયપાંચ આમ કુલ પચ્ચીસ પ્રકૃતિ છે. અથાતીકર્મ – જે. કર્મ આત્માના જ્ઞાન આદિ મૂળ ગુોનો પાત ન કરે તથા મૂળ ગુણોને પ્રગટ થવામાં બાધક બનતાં નથી તેને અઘાતી કર્મબંધની પ્રક્રિયા પણ જાણવી જરૂરી છે. જેમ મકાન બાંધતી વખતે સીમેન્ટ-રેતીમાં પાણી નાખીને જ મિશ્રણ કરવામાં આવે છે. આ મિશ્રણની પ્રક્રિયા તેના પદાર્થો ઉપર આધાર રાખે છે. તેમાં જો પાણી ઓછું હશે તો મિશ્રણ બરાબર થશે નહિ. એ જ રીતે રોટલી બનાવવા માટે લોટમાં પાણી નાખીને મિશ્રણ કરીને, મસળીને પિંડ બનાવવામાં આવે છે. એમાં પણ પાણીના વત્તાઓછા પ્રમાણ પર આધાર છે. એ જ રીતે આત્માની સાથે કર્મબંધમાં પણ કષાયાદિની માત્રા આધારભૂત પ્રમાણ છે. સીમેન્ટ, રેતી અને લોટમાં મિશ્રણ પાણી પર આધારિત છે તેમ આત્માની સાથે જડ કાર્મણસ્કંધોનું મિશ્રણ કષાય પર આધારિત છે. કષાય અહીં પણ પણ રસનું કામ કરે છે. એ જ કર્મબંધની પ્રક્રિયાનું માધ્યમ છે. જે રીતે પાણી વસ્તુંઓછું હોય તો લોટમાં તથા સીમેન્ટના મિશ્રણ યા બંધનમાં ફરક પડે છે. એ જ રીતે કષાયોની તીવ્રતા અથવા મંદતા આદિના કારણે કર્મબંધનમાં દિધિયતા અથવા દંઢના આવે છે. આથી કર્મબંધની પ્રક્રિયા ચાર પ્રકારે બતાવી છે. જેમ કે, કર્મબંધની પ્રક્રિયા (૧) સૃષ્ટ (શિથિલ) કર્મબંધ : જેમ કે સૂકા કપડાં ઉપર લાગેલી ધૂળની રજકણ જે ખંખેરવા માત્રથી દૂર થઈ જાય છે, અથવા તો દોરામાં સામાન્ય ગાંઠ * શિથિલ (ઢીલી) રીતે જ વાળવામાં આવી છે, એ સહજ પ્રયત્ન કરવાથી ખૂલી જાય છે. વિશેષ પ્રયત્ન કરવો પડતો નથી. એ જ રીતે સામાન્ય-અલ્પ માત્રાના કષાયાદિ કારણથી બાંધેલા કર્મ જો આત્મા સાથે સ્પર્શમાત્ર સંબંધથી ચોંટ્યા હોય તો સામાન્ય પશ્ચાત્તાપ માત્રથી દૂર કરી શકાય છે. અને સ્પષ્ટ-સ્પર્શબંધ કર્મ કહેવાય છે, જે નીચેના દૃષ્ટાંતથી જાણીએ. શ્રી પ્રસન્નચંદ્ર રાજૠષિઃ કર્મ કહે છે, તેના ચાર પ્રકાર છે. (૧) વેદનીય, (૨) આયુષ્ય, (૩) નામ અને (૪) ગોત્રકર્મ. અધાતીકર્ષ ની વે દનીય-બે, આયુષ્ય-ચારનામ સડસઠ, ગોત્ર-બે. આમ કુલ પંચોતેર પ્રકૃતિ છે. ઘાતી કર્મોનો નાશ થયા પછી અઘાતી કર્મો લાંબો સમય ટાં નથી. આયુષ્ય પૂર્ણ થતાં જ બાકીનાં ત્રણ થાતી કર્મોનો ક્ષય થાય છે. તેથી જીવ કર્મરતિત બની સિદ્ધ થઈ જાય છે. પ્રભુ મહાવીરના સમયની આ વાત છે. પોતનપુર નગરના રાજાનું નામ પ્રસચંદ્ર હતું. એક વાર પ્રભુ મહાવીર પોતનપુર પધાર્યા. તેમની દેશના સાંભળીને રાજા પ્રસન્નચંદ્ર સંસારથી ઉદ્વેગ પામ્યા અને પોતાના બાળકુમારને રાજગાદી ઉપર બેસાડી તેમ પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યારપછી પ્રભુ વિહાર કરતો કરતાં રાજગૃહી પધાર્યા ત્યારે પ્રભુના દર્શન કરવા શ્રેણિક રાજા પોતાની સેના-પરિવાર સાથે નીકળ્યા. તેમણે રસ્તામાં તપ કરતાં ધ્યાનસ્થ પ્રસન્નચંદ્ર મુનિને જોયા આથી દુર્મુખ નામનો સેનાપતિ બોલ્યો, “અરે! આ તો પ્રસન્નચંદ્ર પ્રબુદ્ધ સંપા ૧૦૬ આ રીતે કર્મસ્રોતનું મુખ્ય ઘટક કાર્યણવર્ગણા આશ્રવ દ્વારા આત્મામાં પ્રવેશીને બંધનકરણ વડે વિવિધ કર્મસ્વરૂપે સ્થાન પ્રાપ્ત કરે છે. રાજા છે, જેમણે પોતાના રાજ્યનો બધો કારભાર પોતાના બાળકુમાર ઉપર મૂક્યો છે! આ તો કાંઈ ધર્મી કહેવાય ? એના મંત્રીઓ રાજકુમારને રાજ્ય ઉપરથી પદભ્રષ્ટ કરશે.' આ પ્રકારના વચનો ધ્યાનસ્થ મુનિ પ્રસન્નચંદ્રે સાંભળ્યા અને મનથી ચિંતવવા લાગ્યા કે, ‘ધિક્કાર છે મારા અકૃતજ્ઞ મંત્રીઓને! જો હું રાજ્ય સંભાળતો હોય તો તેઓને આકરી શિક્ષા કરત.' આવા સંકલ્પવિકલ્પોથી રાજર્ષી પોતાના ગ્રહણ કરેલા દીક્ષા તને ભૂલી જઈ મનથી મંત્રીઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમના બધા આયુધો ખલાસ થતાં મસ્તક ઉપરના શિરસાણથી શત્રુને મારું, એવું ધારી તેમણે પોતાનો હાથ માથા ઉપર મૂક્યો. ત્યાં તો માથે લોચ કરેલો છે, પોતે તમાં છે એ જાણી તરત જ પોતાના આત્માને નિંદવા લાગ્યા અને તેની આલોચના પ્રતિક્રમણ કરીને પાછા પ્રશસ્ત ધ્યાનમાં સ્થિર થઈ ગયા અને ક્ષેપક શ્રેણીમાં ચડી જતાં કેવળજ્ઞાન પામ્યા. આમ પ્રસન્નચંદ્ર રાજર્ષિના ધ્યાનમાં વિચારો બગડ્યા તેથી જે કર્મબંધ થયો એ શિથિલબંધ માત્ર જ હતો. બે ઘડીમાં પશ્ચાતાપી કર્મક્ષય થઈ ગયો અને કર્મમુક્ત થઈને તેમનો મોક્ષ થયા (૨) બદ્ધ (ગઢ) કર્મબંધ: આ બંધ પહેલા કર્મબંધ કરતાં થોડો વધારે ગાઢ છે. વધારે મજબૂત છે. ભીના કપડાં ઉપર લાગેલી ધૂળ કાઢવા માટે વિશેષ પ્રયત્નો કરવા પડે છે. માત્ર ખંખેરવાથી નીકળે નહિ પરંતુ સાબુ આદિનો પ્રયોગ કરવો પડે અથવા તો દોરામાં ગાંઠ ખેંચીને સખત રીતે વાળી હોય તો તે ખોલવામાં મુશ્કેલી પડે છે. એવી જ રીતે આત્માની સાથે કર્મનો બંધ ગાઢ-મજબૂત થયો હોય તો તેને બદ્ધ કર્મબંધ કહેવાય છે. માત્ર પશ્ચાતાપથી આ બંધ છૂટતો નથી. એના ક્ષય માટે વિશેષ પ્રયત્નો કરવા પડે છે. પ્રાયશ્ચિત લેવું પડે છે. દા. ત. અઈમુત્તામુનિને પ્રાયશ્ચિત કરતાંજ કર્મક્ષય થઈ ગયો. આ બંધમાં કંઈક શિથિલ અંશ પણ હોય છે અને કંઈક ગાઢ અંશ હોય છે. જેનું દૃષ્ટાંત નીચે મુજબ છે. અમુત્તામુનિ પ્રભુ મહાવીરના સમયની આ વાત છે. રાજગૃહી નગરીમાં ગૌતમસ્વામી ગોચરી લેવા નીકળ્યા છે ત્યારે રમતા અઈમુત્તા બાળકે મુનિને જોયા અને પોતાના મહેલે મુનિને ભિક્ષા લેવા માટે આવવા વિનંતી કરી. બાળકની ભાવના જોઈને ગૌતમ સ્વામી બાળકના મહેલે ગયા અને ભિક્ષા ગ્રહણ કરી. ત્યારે અમુત્તાએ સહજ
SR No.034161
Book TitlePrabuddha Sampada Agam Grantho Karmvad ane Anekantvadno Sanchay
Original Sutra AuthorN/A
Author
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy