________________
સંયમ કબ હી મિલે ?
કારણ કે પ્રેમપાત્ર વ્યક્તિ જે દિશામાં જાય,
એ દિશામાં સહજ પણે એમના પણ પગ વળી જાય છે.
પપ્પા,
સ્વજનનો મોહ તો બધાંને હોય,
સ્વજન સંયમના માર્ગે જાય તો એ મોહને ધક્કો પણ લાગે જ.
પણ પછી એ વ્યક્તિ બહુ જ સરળતાથી
સર્વવિરતિ કે દેશવિરતિ પ્રત્યે ઢળી જતી હોય છે,
૪૭
એવા આજે હજારો દષ્ટાંતો છે.
તો શું આ અપરંપાર લાભ નહીં ?
મોહને પોષવામાં સ્વ-પર બંનેની દુર્ગતિ નિશ્ચિત છે.
મોહને ધક્કો લાગે તો સ્વની સાથે સાથે પ૨નું પણ કલ્યાણ સંભવિત છે.
પપ્પા,
ધર્મથી ડરવાની બિલ્કુલ જરૂર નથી.
ઘણા લોકો ધર્મને ‘સાવકી મા’ની જેમ જોતા હોય છે,
એની સાથે સાવધાનીથી વ્યવહાર કરે
ને એનાથી સલામત અંતરે રહે,
એ લોકો હકીકતમાં ધર્મને સમજ્યા જ નથી.
ધર્મ તો વ્હાલસોયા ભાઈ જેવો છે. સગી માતા જેવો છે.
જે સર્વ રીતે આપણું સારું જ કરે.
આપણા આલોકને અને પરલોકને સુખી જ કરે. ધર્મબિન્દુમાં કહ્યું છે –
ધર્મશ્ચિન્તામણિ: શ્રેષ્ઠો, ધર્મ: વાળમુત્તમમ્। हित एकान्ततो धर्मो, धर्म एवामृतं परम् ॥