________________
૨૮
ગટર જો ચોખ્ખી થઈ શકે, તો સંસાર સુખી થઈ શકે.
સંસારની ગટરને ચોખ્ખી કરવાની મથામણ ખૂબ જ કષ્ટમય છે.
આ મથામણ સાવ જ વ્યર્થ છે -
ને
આ બધો અશક્યનો પ્રયાસ છે.
સંયમ કબ હી મિલે ?
ગટરને ફક્ત છોડી શકાય છે, ચોક્ખી નથી કરી શકાતી.
સંસારના દુઃખોથી મુક્ત થવાનો એક માત્ર ઉપાય સંસારત્યાગ છે.
ન મરણં – મોક્ષમાં મરણ નથી.
મરણ એ બહુ જ મોટી મશ્કરી છે.
જન્મથી માંડીને માણસ સતત નવા નવા સંબંધો બાંધતો ગયો હોય,
નવી નવી વસ્તુઓને ભેગી કરતી ગયો હોય,
સંઘર્ષ કરી કરીને જે પૈસા ભેગા કર્યા હોય,
એ બધું જ એક ઝાટકે મોત છિનવી લે છે.
No doubt, મોતની પીડા અસહ્ય હોય છે. અકથ્ય હોય છે. ‘મોત’ આ શબ્દ પણ માણસને ધ્રુજાવી દેવા માટે સમર્થ છે. પણ મોતની આ મશ્કરી પર આપણું ધ્યાન જ જતું નથી, પરિણામે આપણે આખી જિંદગી મૂર્ખ બન્યા કરીએ છીએ. આખી જિંદગીનું ભેગું કરેલ બધું જ છોડીને જતા રહેવાનું. ફરી નવું જીવન, નવેસરથી શરૂઆત. નવી ગિલ્લી નવો દાવ. આટ આટલું સમજ્યા પછી કેમ વિદ્રોહ ન પ્રગટે ?
કેમ મોત સામે બળવો કરવાનું મન ન થાય ?
That's Possible Mummy. If we wish.
ગણતરીના સમયમાં આપણે મોતને ખતમ કરી શકીએ છીએ.
If we wish.
ન વિઓો – મોક્ષમાં ઇષ્ટવિયોગ નથી.