________________
૨૬
સંયમ કબ હી મિલે?
છેવટે એ મોતને ભેટે ને દુર્ગતિની પરંપરાનો યાત્રી બની જાય. શું આના માટે છે આ જીવન ? આપણને જે જ્ઞાન મળ્યું, વિવેક મળ્યો, શક્તિ મળી, એનો આપણે આ ઉપયોગ કરવાનો છે? સંસારમાં કશું જ લેવા જેવું નથી...કશું જ સારું નથી... કોઈ જ ભલીવાર નથી. પામવા જેવો તો છે મોક્ષ. ૩વારે ય ઘણા નવાઇi - મોક્ષ જ ઉપાદેય છે. આપણું જીવનલક્ષ્ય, આપણે પ્રાપ્તવ્ય, આપણું સાર્થક્ય આ બધું જ મોક્ષમાં સમાયેલું છે. નં થી નમ્પો - મોક્ષમાં જન્મ નથી. નવ મહિના સુધી ઊંધે માથે જઠરાગ્નિની ભઠ્ઠીમાં શેકાવું. અશુચિ વચ્ચે જ જીવવું, અશુચિ જ ખાવી અને ભયાનક વેદના સાથે જન્મ પામવો, આ યાતનાઓ મોક્ષમાં નથી. તને ખબર છે મમ્મી? કોઈ માણસને કોઈ આખા શરીરે સાડા ત્રણ કરોડ તપાવેલા લોખંડના સોયા, જે તપી તપીને લાલચોળ થઈ ગયા હોય, એને એક સાથે ઘોંચી દે તો એ માણસને જેટલી વેદના થાય, એના કરતા આઠ ગણી વેદના ગર્ભમાં પ્રત્યેક સમયે હોય છે. અને જ્યારે જન્મ થતો હોય