________________
અધ્યાત્મસાર સ્પષ્ટતા કરે છે
भवनिर्वाणहेतूनां, वस्तुतो न विपर्ययः । अज्ञानादेव तद्भानं, ज्ञानी तत्र न मुह्यति ॥
વાસ્તવમાં ભવહેતુ અને મોક્ષહેતુમાં કોઈ વિપર્યય નથી. વિપર્યાસ લાગે છે અજ્ઞાનથી. જ્ઞાની એમાં મોહાતો નથી.
યોગશતકટીકામાં આ જ ધારાનું એક ઉદ્ધરણ છે धर्मरागादपि મુનિરમુનિઃ - ધર્મના રાગથી ય મુનિ મુનિ તરીકે મટી જાય છે. સામાયિક તો છે પરમસામ્યની દશા. અભ્યાસ સમભાવથી માંડીને આ પરમ-સમભાવ સુધીની યાત્રા એ જ અંતરંગ મોક્ષયાત્રા છે. આ જ છે આનંદયાત્રા. આ જ છે રામણ્યયાત્રા. આ જ છે ઉન્મનીભાવયાત્રા. મુનેઃ સમરસે તયઃ । બીજી બધી જ સાધનાઓ ખરા અર્થમાં આ અંતરંગ સાધ્યની સિદ્ધિ માટે જ છે.
-
-સમતા