SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ હોજરીમાં ગયેલું અન્ન બરાબર પચતું નથી. યા એનો ‘આમ' થઈ જાય છે, શરીરના જુદા જુદા અવયવોમાં એ કચરા રૂપે જામ થઈ જાય છે અને યા તો એ આંતરડાઓનો બોજો થઈ પડે છે. માટે જ આયુર્વેદમાં કહ્યું हृन्नाभिपद्मसङ्कोच-चण्डरोचिरपायतः । છે - अतो नक्तं न भोक्तव्यं, सूक्ष्मजीवादनादपि ॥ સૂર્યની વિદાયને કારણે હૃદયકમળ અને નાભિકમળ સંકોચાઈ જાય છે. માટે રાતે ન ખાવું જોઈએ. રાતે ભોજનમાં સૂક્ષ્મ જીવો ભળતાં હોય છે. માટે પણ રાતે ન ખાવું જોઈએ. * મોર્ડન સાયન્સ અને રાત્રિભોજન સાયન્સનો એક પ્રિન્સીપલ છે Where there is darkness there are germs જ્યાં અંધારું હોય છે, ત્યાં કીટાણુંઓ હોય છે. આ પ્રિન્સીપલ પ્રુવ કરે છે કે રાતે એન્વાયરમેન્ટ કીટાણુયુક્ત હોય છે. આ સમયે કાંઈ પણ ખાવા-પીવામાં હેલ્થ-રિસ્ક રહેલું છે. પ્રકાશનું એક પણ આર્ટિફિશિયલ ઈન્સ્ટ્રુમેન્ટ સૂરજનું સ્થાન લઈ શકે તેમ નથી. આથી ઉલ્ટું ઈલેક્ટ્રીક લાઈટથી વધુ કીટાણુઓ આવતા હોય છે, એવો આપણો એક્સપિરીયન્સ છે. કેટલીય વાર મોટા ઈન્સેક્ટ્સ પણ પેટમાં જતાં રહે છે. અને પરિણામે વોમિટથી માંડીને ઓપરેશન સુધીના કષ્ટો ભોગવવા પડે એવા બનાવો બન્યા કરે છે. જે માઈક્રો ઈન્સેક્ટ્સ પેટમાં જાય છે અને હેલ્થને ડિસ્ટર્બ કરે છે તેમનાથી બચવા તો ડે-લાઈટમાં જ ખાવું, એ જ એક પ્રિવેન્શન બચી શકે છે. We know, Prevention is better than cure. ફોરેનમાં ઘણા સર્જન ડોક્ટર્સ મેજર ઓપરેશન દિવસે જ કરે છે. જેનું રિઝન પણ આ જ છે માઈક્રો ઈન્સેક્ટ્સ. - * યોગશાસ્ત્ર અને રાત્રિભોજન જુદાં જુદાં કીટાણુ રાત્રિભોજન દ્વારા આપણા શરીરમાં પ્રવેશે ત્યારે કેવી કેવી ઈફેક્ટ કરે, તે વિષે યોગશાસ્ત્રમાં કહ્યું છે मेधां पिपीलिका हन्ति કીડીથી માઈન્ડ-પાવર ઓછો થાય છે. યૂજા કર્યાપ્રભોવનમ્ રાતે ખાતાં પહેલાં – ८ 楽
SR No.034134
Book TitleRate Khata Pahela
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages16
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy