________________
રાત્રિ ભોજન
WHY NOT ?
કોઈની હિંસા ન કરવી જોઈએ. જુઠું ન બોલવું જોઈએ, ચોરી ન કરવી જોઈએ. આ આપણી મૂળભૂત સંસ્કૃતિના મહત્ત્વના પાસા છે. બરાબર એ જ રીતે એક મહત્ત્વનું પાસુ છે રાત્રિભોજનત્યાગ. જેનો અર્થ છે સૂર્યાસ્ત બાદ બીજા દિવસના સૂર્યોદય સુધી ભોજન ન લેવું. આપણી મૂળભૂત સંસ્કૃતિ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે - એવું દુનિયાના અગ્રણી વિદ્વાનો સ્વીકારે છે. રાત્રિભોજન એ ત્યાજ્ય શા માટે ? આ વિષયમાં અહીં પ્રસ્તુત કેટલીક રસપ્રદ માહિતી.
* યોગવિજ્ઞાન અને રાત્રિભોજન :- સાંજ પછી આપણા પાચન અવયવો ૨૦% જ કામ કરતાં હોય છે. માટે રાતે હળવો ખોરાક લેવામાં આવે તે પણ પાચનતંત્ર માટે ભારે સાબિત થાય છે. પછી અનીર્નપ્રભવા રોઃ - રોગોનું મૂળ અજીર્ણ છે એ ન્યાયે જાત જાતના રોગો શરીરમાં પ્રવેશ કરે છે. આધુનિક યોગાટ્રેઈનર્સ તો સાંજના ચાર વાગ્યા પછી પ્રવાહી સુદ્ધા લેવાનો નિષેધ કરે છે.
—
* ભોવિજ્ઞાન અને રાત્રિભોજન :- નીતિવાામૃતમ્ નામના એક પ્રાચીન સંસ્કૃત ગ્રંથમાં જીવનસૂત્રોનો અદ્ભુત સંગ્રહ છે. આ ગ્રંથના એક જીવનસૂત્રમાં લખ્યું છે
भुक्त्वा व्यायामव्यवायौ सद्यो व्यापत्तिकारणम् ।
જમ્યા બાદ વ્યાયામ અને મૈથુનસેવન આ બંને આરોગ્ય પર ભારે પ્રહાર કરે છે. અર્થાત્ ભોજન અને મૈથુન આ બે વચ્ચે લાંબો ગાળો ન હોય તો અવશ્ય સ્વાસ્થ્ય કથળે છે. રાત્રિભોજન કરનાર આ વિજ્ઞાનનું ઉલ્લંઘન કરે છે અને અનેક જાતની માંદગી વહોરી લે છે, તે સહજ છે.
* નિદ્રાવિજ્ઞાન અને રાત્રિભોજન :- પેટ ભરેલું હોય અને પાચનક્રિયાની
રાતે ખાતાં પહેલાં
૨
-