________________
ડિલે ઇસ ડેન્જરસ
જે યોગની અવગણના કરવામાં આવે, તે યોગ બીજા ભવમાં પણ દુર્લભ થઈ જાય છે.
વિલંબ એકાંતે અવગણના જ હોય, એવું જરૂરી નથી, એનું કારણ સાચું પણ હોઈ શકે, બહારના કારણો અનેક હોઈ શકે, પણ એ બધાં નિમિત્તમાત્ર હોય છે. ખરું કારણ તો અંદરનું હોય છે, જેનું નામ છે નિકાચિત કર્મ. હવે સવાલ એ આવે કે આપણું કર્મ નિકાચિત છે કે અનિકાચિત? આપણા પુરુષાર્થથી તૂટે એવું છે? કે આકાશ-પાતાળ એક કરવા છતાં ય ન જ તૂટે એવું છે? શાસ્ત્રોને જોઈએ, ચરિત્રોને જોઈએ, આસ-પાસની ઘટનાઓને જોઈએ અને આપણો પોતાનો અનુભવ જોઈએ, તો એવું લાગ્યા વિના ન રહે કે હજી સુધી જોઈએ એવો પુરુષાર્થ નથી પ્રગટ્યો.