SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ થાઇલેંડમાં વસેલા છે. આ ધર્મની માન્યતા છે કે માંસાહારનો ત્યાગ એ ધર્મની પરિપૂર્ણતા છે. (૬) પારસી ધર્મ - આ ધર્મના ગ્રંથ જેન્ટ અવેસ્તામાં કહ્યું છે, કે જીવોની હત્યા એ અધાર્મિક છે. (૭) શીખ ધર્મ - ગુરુ નાનક દેવે માંસાહારનો સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કર્યો છે, અને કહ્યું છે કે જે લોહી લાગવાથી કપડું ગંદુ અને અપવિત્ર થઈ જાય છે, એ લોહીને જે માણસ પીવે છે, તેનું મન કેવી રીતે નિર્મલ રહી શકે ? जे रत लागे कापड़े, जामा होई पलीत । ते रत पीवे मानुषा, तिन कयूँ निर्मल चीत ? ॥ ગુરુ સાહેબોએ સ્પષ્ટરૂપે હિંસા ન કરવાનો આદેશ આપ્યો છે, અને જ્યારે હિંસા જ પ્રતિબંધિત છે, ત્યારે માંસ-માછલી ખાવાનો સવાલ જ રહેતો નથી. શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ ઊંડી તપાસ કર્યા બાદ ગુરુ સાહેબના નિશાન અને હુકમનામાઓને પુસ્તકરૂપે છપાવ્યા છે. તેમાં એક હુકમનામું આ છે – दारु कोई नाही खाणा। मास मछली पिआज नाही खाणा । વોરી નાની નાદી રઇ . - ગુરુ સાહેબ हुक्म नाम न. ११३ हुक्मनामा बाबा बन्दा बहादुरजी मोहर फारसी देगो तेगो फतहि नुसरत बेदरिंग याफत अज नानक गुरु गोबिन्दसिंह १ ओ फते दरसनु सिरी सचे साहिब जी दा हुक्म है सरबत खालसा जउनपुर का गुरु रखेगा । खालसे दी रहत रहणा भंग तंमाकू हफीम पोस्त दारु कोई नाही खाणा मास मछली पिआज, नाही खाणा चोरी जारी नाही करणी । ૬ રૂ
SR No.034125
Book TitleArsh Vishva
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy