________________
આ છે
સંસાર
* નરી હેરાનગતિ
दधानाः काठिन्यं, निरवधिकमाविद्यकभव
प्रपञ्चाः पाञ्चाली-कुचकलशवन्नातिरतिदाः । गलत्यज्ञानाभ्रे, प्रसृमररुचावात्मनि विधौ,
૨૪
चिदानन्दस्यन्दः, सहज इति तेभ्योऽस्तु विरतिः ॥ २४ ॥
હદ બહારનો ભ્રમ-ભરેલો છે આ સંસાર. ખૂબ કઠોર ને કઠણ છે આ સંસાર. જાણે પૂતળીની છાતી. દેખાવથી અંજાઈને માણસ એને ભેટવા જાય તો એમાં શું સુખ મળે ? પણ એક પળ એવી આવે છે, કે ભ્રમનું વાદળ ખસી જાય છે. આત્મ-ચન્દ્રની ચાંદની વ્યાપી જાય છે. ભીતરમાંથી જ્ઞાનઆનંદના ઝરણાં સહજ વહેવા લાગે છે. આ સ્થિતિમાં સંસારથી પૂર્ણ વિરતિ ઉદયમાં આવી જાય, એમાં શું આશ્ચર્ય છે ? || ૨૪।।
એક માણસને ગતકડું સૂઝ્યું. લાકડાંના ભૂંસાના લાડવા બનાવ્યા. એને લાલ-પીળા રંગ દીધાં. જોતાની સાથે મોઢામાં પાણી આવી જાય એવા એ લાડવા. લાડવાની એણે લારી કરી. ઉંચો ભાવ આપી આપીને લોકો હોંશે હોંશે લઈ ગયા. એને ખાવા જતાં ચહેરાનો નક્શો કેવો થયો હશે, we can imagine...
આ છે સંસાર. નરી હેરાનગતિ. એ દેખાય છે લાડવો. આકર્ષે છે આપણને. દોડીએ છીએ આપણે એની પાછળ. પરસેવો પાડીએ છીએ એને મેળવવા માટે. આકાશ-પાતાળ એક કરીને કદાચ આપણે એને મેળવી પણ લઈએ છીએ, પણ જેના માટે આ બધી જ હજામત કરી હતી એ ક્યાં મળે છે ? જે મળે છે એ શું હોય છે ? એમાં ‘સ્વાદ’ કહી શકાય, ‘સુખ’ કહી શકાય, ‘સારું પરિણામ’ કહી શકાય એવું શું હોય છે ?
લાકડાના લાડવા ને મોતીચૂર લાડવામાં જેટલો ફરક છે, એના કરતાં તરી હેરાનગતિ
૭૨