________________
આ છે
સંસાર
* એક ખુવાર પરિવાર #
我
प्रिया प्रेक्षा पुत्रो विनय इह पुत्री गुणरति
र्विवेकाऽऽख्यस्तातः परिणतिरनिन्द्या च जननी । विशुद्धस्य स्वस्य स्फुरति हि कुटुम्बं स्फुटमिदं,
भवे तन्नो दृष्टं, तदपि बत संयोगसुखधीः ॥ १७ ॥
વિશુદ્ધ આત્માનો એક સ્પષ્ટ આંતરિક પરિવાર હોય છે. જ્યાં પ્રિયા છે સદ્ગુદ્ધિ, પુત્ર છે વિનય, પુત્રી છે ગુણરતિ, પિતા છે વિવેક અને માતા છે પરિણતિ. પણ ‘સંસાર’ એ એક એવી કરુણતા છે, જ્યાં આ આખો ય પરિવાર ખુવાર થઈ જાય છે. આમાંથી કશું જ નથી મળતું સંસારમાં. સ્વજન કહી શકાય, એવું કોઈ જ નથી અહીં, અહીં છે માત્ર સંયોગ. પણ બિચારો જીવ એમ માને છે કે એનાથી હું સુખી થઈ ગયો. ।। ૧૭ ||
૧૭
સરકારે લોકોને એક સૂત્ર આપ્યું છે સૂત્ર કેટલું સાચું છે, તે એક અલગ વિષય સો ટચના સોના જેવું સૂત્ર આપ્યું છે આંતરિક પરિવાર સુખી પરિવાર. બાહ્ય પરિવાર સ્વાધીન નથી હોતો. આખી જિંદગી માણસ બધાં છેડાં મેળવતા મેળવતા હાંફી જાય છે. ત્રણ સાંધો ને તેર તૂટે એવી દુર્દશા જ એનું પારિવારિક જીવન હોય છે. આટલું થઈ જાય એટલે નિરાંત આ લાલચ એને જીવનભર દોડાવતી જ રહે છે. જેના માટે એ દોડે છે, તેઓ પણ એને આરામ આપતા નથી. પણ જાણે ચાબૂક ફટકારી ફટકારીને એને પરાણે પરાણે પણ દોડાવ્યા જ કરે છે. યાદ આવે પેલી કવિતા
-
૫૧
છોટા પરિવાર-સુખી પરિવાર. આ બની જાય છે, પણ ભગવાને એક
આખી જિંદગી જેમણે પગ તળે કચડ્યો મને, અંત વેળા એમની જ કાંધે ચડવાનું બન્યું.
સંસારમાં એમ કહેવાય છે કે પરિવાર વગરનો માણસ શોભે નહીં, એના
આ છે સંસાર