________________
શું કરવું ? તૃષ્ણા તો છે, તૃષ્ણાની પીડા ય છે. આ સ્થિતિમાં જે વસ્તુની તૃષ્ણા છે એની પાછળ ન દોડીએ તો બીજું કરીએ પણ શું ? અનાદિનો છે આ સવાલ. મોટા ભાગના જીવોની છે આ સમસ્યા. પરમ પાવન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અહીં જવાબ આપે છે -
__ अत्थे असंकप्पयओ तओ से पहीयए कामगुणेसु तण्हा ।
વિષયતૃષ્ણાને દૂર કરવી છે? તો એનો રામબાણ ઉપાય આ છે – વિષયની પાછળ દોડતા તનને તો રોકો જ, મનને પણ રોકો. વિષયનો વિચાર સુદ્ધા ન આવી શકે આવી દશાના તમે સ્વામી બની જાઓ. આ એક એવી દશા છે, જ્યાં તૃષ્ણા ખુદ તરસે મરી જાય છે.
We don't know, કામના પરસેવામાં સદ્ગઓનું બધું જ ઓજસ્ ગળી જાય છે. આપણને સાવ જ ખાલી કરીને એ ખાલીપાને દોષોથી ઠાંસી ઠાંસીને ભરી દેવાનું કામ કરનાર છે “કામ”. યાદ આવે પરમ પાવન શ્રી દશવૈકાલિક સૂત્ર - ___ मूलमेयमहम्मस्स महादोससमुस्सयं ।
અધર્મનું મૂળ છે અબ્રહ્મ. મોટા મોટા દોષોનો રાફડો છે અબ્રહ્મ.
કષાયો, વિષયો, કામવાસના, દોષો... બધી જ રીતે ભડકે બળતો ઉનાળો છે, આ સંસાર. એ અનાદિકાળથી આવો જ છે ને અનંતાનંત કાળ સુધી આવો જ રહેવાનો છે. સમરાદિત્યકથા કહે છે - રૂફો વેવ સંસારો ! સંસાર આવો જ છે. સંસારને ઠારી નથી શકાતો. ફક્ત છોડી શકાય છે. If you don't like heat, get out of the kitchen. એ શક્ય છે. If we wish.
૪૧
આ છે સંસાર