________________
છે, ને એ વિચારો પણ માથું ખરાબ કરી દે છે. વિશ્વયુદ્ધ વચ્ચે બેઠેલો માણસ પણ સ્વસ્થ હોઈ શકે છે, પણ આ વિચારયુદ્ધમાં સ્વસ્થતાનો અંશ પણ હોય, એ શક્ય નથી.
દરોવાળું ઘર એ હકીકતમાં જંગલ કરતાં ય બદતર હોય છે. તકલીફ અને જોખમ તો એ બંનેમાં હોય છે. પણ ફરક એ હોય છે, કે જંગલમાં સગવડની કોઈ અપેક્ષા નથી હોતી, જંગલમાં કષ્ટ આવી પડે એમાં કશું જ અજુગતું લાગતું નથી. ઘરમાં સગવડની પૂરી અપેક્ષા હોય છે, ને એમાં આવતું કષ્ટ પૂર્ણપણે અસ્વીકાર્ય હોય છે. સંસાર એ એક એવું ઘર છે, જેમાં ઉપર, નીચે, દીવાલોમાં બધે જ - ઠેર ઠેર દરો ને રાફડાઓ છે. જેમાં મદના સાપો સળવળ્યા જ કરે છે, ક્યારે કયો સાપ બહાર આવી જાય ને મરણતોલ ડંખ મારી દે એ વિષે અહીં કશું જ કહી શકાય એમ નથી.
દુનિયાના ખરાબમાં ખરાબ, ભયંકરથી ય ભયંકર અને પરાકાષ્ઠાના દુઃખથી ભરેલા ઘરની કલ્પના કરો. સંસાર એને પણ લાખ દરજે સારું કહેવડાવે તેવું ઘર છે. જે ઘરમાં “ઘર'નો કોઈ જ પત્તો નથી. ખરા અર્થમાં “ઘર” તો છે મોક્ષ. શું જોઈએ છે આપણને? સંસાર કે મોક્ષ? શાંતિથી વિચારીએ તો પસંદગી બિલકુલ અઘરી નથી.
sal
is
એક બેઘર ઘર.
૩૮