SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક ધર્મ આચરણ ઉપયોગી માહિતી • પછી ઈરિયાવહીનો કાઉસગ્ગ કરી, કાઉસગ્નમાં જ નવકાર મંત્ર બોલી કાઉસગ્ગ પાળવો. • પછી લોગસ્સ બોલવું. • પછી ત્રણ નામોથુણના પાઠ બોલવા. (બી) બે પ્રતિક્રમણ કરવાના હોય ત્યારે બીજું પ્રતિક્રમણ શરૂ કરતાં પહેલાં પણ ક્ષેત્રવિશુદ્ધિ કરવાની હોય છે. (સી) તે જ પ્રમાણે આલોયણા શરૂ કરતાં પહેલાં ક્ષેત્રવિશુદ્ધિની વિધિ કરવાની હોય છે. રાત્રિ વિધિઃ રાતે સૂતાં પહેલાં રાત્રિ વિધિ આ પ્રમાણે કરવી: આજના દિવસ સંબંધી: • ૯૯ અતિચાર સંબંધી અતિક્રમ... • ૨૫ મિથ્યાત્વ સેવ્યાં હોય, સેવરાવ્યાં હોય. • ૧૮ પાપસ્થાનક સેવ્યા હોય, સેવરાવ્યા હોય. • ૧૪ સંમૂર્છાિમ... • માંગલિક • શ્રાવકના ૩ મનોરથ ચિંતવવા. • દિશિ વ્રત - ઘરની બહાર જવું નહીં વગેરે. • ૮૪ લાખ જીવાયોનિના જીવોને ખમાવવા અને એક કરોડ સાડી સત્તાણું લાખ કુલ ક્રોડીના જીવોને ખમાવવા : સાત લાખ પૃથ્વીકાય.. • ખામેમિ સવ્વ જીવાનો પાઠ બોલાવવો. જો દિવસ ઉગ્યા સુધીના ચઉવિહારના પચ્ચખ્ખાણ ન લીધા હોય (પ્રતિક્રમણ ન કર્યું હોય) તો રાતે સૂતી વખતે ઓછામાં ઓછા ચઉવિહાર નહીં તો તિવિહારના પચ્ચખ્ખાણ લેવા. એમ તો દિવસ દરમ્યાન પણ જ્યારે કંઈ ખાવું પીવું ન હોય ત્યારે કલાક કે એથી વધુ સમયના ચઉવિહાર કે તિવિહાર પચ્ચખ્ખાણ લઈ લેવા. નોંધઃ આહાર શરીર ને ઉપધિ, પચખું પાપ અઢાર; મરણ આવે તો વોસિરે, જીવું તો આગાર. • આ પ્રમાણે સાગારી સંથારો રોજ રાત્રિ વિધિ સાથે ન બોલાય કેમકે સાગારી સંથારો રોજ લેવાની વસ્તુ નથી. (૨૭)
SR No.034111
Book TitlePratikraman Guide
Original Sutra AuthorDhiraj Damji Pasu Gala
Author
PublisherAath Koti Nani Paksha Sthanakvasi Jain Sakal Sangh Mumbai
Publication Year2018
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy