________________
પ્રકરણ ર જે. “કાર્યો હોય તેવાં કરે !
ગાં t ડાલાલ શેઠ બાવાના પ્રસંગથી બહુ ડાહ્યા
બની ગયા હતા. શેઠાણની સલાહ મુજબ શેઠે
હવે લા લેવાનું શરૂ કર્યું. પિતે એક જૈન શિક વણિક હતા તેથી પ્રથમ તે પોતાની કમમાં
જે જે ગરીબ નિરાધાર સ્ત્રી પુરૂષો હતા હેમને હાં દરમહીને ત્રણત્રણ રૂપિયા ગુજરાન અર્થે મોકલી આપવા માટે અમુક રકમ કહાડી અને હરકેઈ ધમના મુસાફરોને ઉતરવા માટે એક ધર્મશાળા બંધાવી તથા લૂલાંલંગડાં ભિક્ષકો માટે એક આશ્રમસ્થાન સ્થાપ્યું. શેઠને ધર્મ સમ્બન્ધી કાંઈ ઊંડું જ્ઞાન ન હોવાથી ધામિક ઉન્નતિ માટે બીજું કશું કરવાનું હેમને સૂઝયું નહિ. કોઈ કઈ વખત શેઠાણીની સલાહથી લ્હાણી–પ્રભાવના અને દીક્ષાઓછવ પાછળ ખર્ચ કરતા અને કોઈ વખત સાધુ સાધ્વીજીને સંસ્કૃત શિખવાની ઈચ્છા થતી તે કાશીથી પગારદાર શાસ્ત્રીજી બોલાવી હેમની પાસે ભણવાની જોગવાઈ કરી આપતા. આ સિવાય શેઠ કે શેઠાણુને ધર્મના બીજા રસ્તાની ખબર જ નહતી.
પરંતુ હારથી આ શુભ કૃત્યો શરૂ થયાં ત્યહારથી શેઠ શેઠાણીનાં હદય બહુ પ્રકલ્લિત રહેવા લાગ્યાં. હેમનાં હે હમેશાં હસતાં જણાતાં અને સત્કાર્યના પડછાયા રૂપ આનંદ તે હે ઉપર હમેશ રમી રહેતો જોવામાં આવતું.
Scanned by CamScanner