SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૮). રાજબેધ. સત્કૃત અને સત્સમાગમ સે. શુભેચ્છાથી માંડીને ક્ષીણમેહપત સંસ્કૃત અને સત્સમાગમ સેવવાગ્યા છે. સર્વ કાળમાં એ સાધનનું જીવને દુર્લભપણું છે, તેમાં આવા કાળમાં દુર્લભપણું વર્તે તે યથાસંભવ છે. દુષમકાળ અને હું ડાવસર્પિણી નામને આશ્ચર્યભાવ અનુભવથી પ્રત્યક્ષ દષ્ટિગોચર થાય એવું છે. આત્મશ્રેયઈચ્છક પુરૂષે તેથી ક્ષોભ ન પામતાં વારંવાર તે પેગ પર પગ દઈ સદ્ભુત, સત્સમાગમ, અને સદ્દવૃત્તિ બળવાન કરવાગ્યા છે. ' ---- (૧૧૦) અડગ નિશ્ચયથી માર્ગ પ્રાપ્ત દુષમકાળનું પ્રબળ રાજ્ય વર્તે છે, તો પણ અડગ નિશ્ચયથી, સપુરૂષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી, જે પુરુષો અગુપ્ત વીર્યથી સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રને ઉપાસવા ઇચ્છે છે, તેને પરમશાંતિને માર્ગ હજી પણ પ્રા થવા ગ્ય છે. ' (૧૨૧) સ્વસ્વરૂપ ભાવના - સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધચૈતન્યસ્વરૂપ પરમેષ્ટ અચિંત્ય સુખસ્વરુપ માત્ર એકાંત શુદ્ધઅનુભવરૂપ હું છું ત્યાં વિક્ષેપ છે ? વિકલ્પ શો ? ભય છે ? ખેદ છે ? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુધ્ધ, પરમશાંત ચૈતન્ય છું; હું માત્ર નિર્વિકલ્પ છું; હું નિજસ્વરૂપમય ઉદ્યાગ કરૂં છું; તનમય થાઉં છું. શાંતિ; શાંતિ; શાંતિ; Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy