SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ વડી ધારાસભામાં મારા મનને તો છાંટાભાર શક નથી કે ઈશ્વર જેવો કોઈ માલિક જો દુનિયાને માથે હોય તો તેના દરબારમાં ઇંગ્લેન્ડને તેમ જ હિંદુસ્તાનનાં આ બધાં શહેરોમાં વસનારાઓને બેઉને આ ગુનાને માટે–ઇતિહાસમાં કદાચ જેની જોડ ન મળી શકે એવા આ માનવજાતિ સામેના ગુનાને માટે જવાબ દેવો પડશે.” દરિદ્રનારાયણની કકળતી આંતરડીનો અવાજ હોય તેવા આ શબ્દો ગાંધીજી અમદાવાદની સેશન્સ કોર્ટમાં તા. ૧૮ માર્ચ, ૧૯૨૨ના રોજ તેમની સામે ચાલેલા ઐતિહાસિક મુકદ્દમા વખતે ઉચ્ચારી રહ્યા હતા. નવા ચણાયેલા સરકીટ હાઉસનો ખંડ નિમંત્રિત પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. અંગ્રેજ ન્યાયાધીશ બૂમફીલ્ડ પૂરા ગાંભીર્યને માન સાથે રાજદ્રોહના તહોમતદાર મિ. ગાંધીનું નિવેદન સાંભળી રહ્યો હતો. બ્રિટિશ શાસને રાજદ્વારી તેમ જ આર્થિક દૃષ્ટિએ હિંદને કેટલું બધું લાચાર બનાવી દીધું હતું તેનું હૃદયદ્રાવક ચિત્ર તેમના નિવેદનમાંથી ઊપસતું હતું. શંકરલાલ બેન્કર પણ તેમની સાથે તહોમતદાર હતા. આગલે દિવસે જ કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠક અમદાવાદમાં હતી એટલે દેશના અનેક અગ્રણી નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત હતા. જવાહરલાલ નેહરુ આ પ્રસંગનું સ્મરણ કરતાં કહે છે: “કોર્ટ સમક્ષ ગાંધીજીએ કરેલું નિવેદન હૃદય હલાવનારું હતું, તેમનાં જીવંત વાક્યો અને હૃદયહારી લ્પનાઓની છાપ અમારી સ્મૃતિમાં લઈને રોમાંચક અનુભવ સાથે અમે ઘેર આવ્યા.”ર વલ્લભભાઈ, Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy