________________
છે.ધીરુભાઈ ઠાકર જેવા સમર્થ વિદ્વાનની સેવાઓ મેળવવા ટ્રસ્ટ ભાગ્યશાળી બન્યું છે. ટ્રસ્ટી મંડળ ડો. ઠાકરનો, અરવિંદ મિલના જનરલ મેનેજર પ્રો. મનુભાઈ શાહનો તેમ જ પુસ્તકપ્રકાશનના કાર્યમાં ટ્રસ્ટને સહાય કરનાર અન્ય સૌનો આભાર માને છે.
કસ્તૂરભાઈ લાલભાઈનું થોડા મહિના પહેલાં જ અવસાન થયું; આ પુસ્તકના પ્રકાશન વખતે તેઓ આપણી વચ્ચે નથી તે ભારે દુઃખની વાત છે. આજે ભલે તેઓ આપણી વચ્ચે નથી, પણ તેમના જીવન અને કાર્યની આ કથા સૌને માટે પ્રેરણારૂપ બની રહેશે.
૨૮, એપ્રિલ, ૧૯૮૦ ૨૩૫, ડો. દા. ન. રોડ મુંબઈ ૪૦૦ ૦૦૧
નાની પાલખીવાળા
અધ્યક્ષ, ટ્રસ્ટીમંડળ ધી એડી. શ્રોફ મેમોરિયલ ટ્રસ્ટ
Scanned by CamScanner