SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્ત્ર-ઉદ્યોગનો વારસો લાલભાઈ શેઠે ૧૮૯૬માં કાપડની સરસપુર મિલ શરૂ કરી, તે પહેલાં ચારેક દાયકાથી અમદાવાદમાં મિલ-ઉદ્યોગ શરૂ થઈ ચૂક્યો હતો. સૂતર, રેશમ અને નિખાબના વણાટનો વ્યવસાય અમદાવાદના લોહીમાં હતો જ. તેનો પરંપરાપ્રાપ્ત કસબ યંત્રયુગમાં કામે લગાડવા માટે સાહસિક ઉદ્યોગવીરોએ જૂના કારીગરોને નવા ઉદ્યોગ ભણી આકર્ષ્યા. અમદાવાદની આબોહવા સૂકી છે. મુંબઈમાં છે તેવી ત્યાં પાણીની સગવડ નથી. તેની જમીન ખારાપાટવાળી છે. શિયાળો ને ઉનાળો સખત હોય છે. આ બધું મોટા ઉદ્યોગના વિકાસને માટે અવરોધરૂપ ગણાય. છતાં અમદાવાદમાં કાપડઉદ્યોગ આટલો વિકસ્યો તેનું કારણ શું? કસ્તૂરભાઈએ એનું નિદાન કાઢતાં કહ્યું છે કે અમદાવાદના લોકોનો સ્વભાવ કાપડ-ઉદ્યોગને માટે માફક આવે એવો છે. તેમને જીવનસંઘર્ષનો સતત સામનો કરવો પડતો હોવા છતાં જીવન પ્રત્યે કટુતા નથી હોતી. જીવનના પ્રશ્નોની દૃઢ પકડ, દૂર દૂરના ભાવિમાં રહેલ લાભનો તાગ કાઢવાની સૂઝ અને તરંગથી નહીં દોરવાઈ જવાની વાસ્તવપ્રેમી પ્રકૃતિ કાપડ જેવા જૂના ઉદ્યોગને માટે અનુકૂળ ગણાય. આ ઉદ્યોગમાં તાતા કે કૉર્ડના જેવા વિશાળ દૃષ્ટિક્લકની જરૂર નથી એમ કસ્તૂરભાઈનું કહેવું છે. નાના પાયા પર નિશ્ચિત નફો આ વ્યવસાયમાંથી મળ્યા કરશે તેની ખાતરી તેમાં ઝંપલાવનારને હોય છે. એટલે તે ખંત અને ચીવટથી મહેનત કરીને ક્રમશ: આગળ વધવાની ગણતરી Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy