SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ પરંપરા અને પ્રગતિ એક જાપાની પેઢીના અધ્યક્ષ નોબોરુ કોયાસુએ, પોતે તેમની સાથે ગાળેલા સમય દરમ્યાન કસ્તૂરભાઈએ આપેલ શિખામણ અને માર્ગદર્શન અનુસા વર્તવાનું પોતાનું જીવનધ્યેય વ્યકત કર્યું અને તેમની મહાનુભાવિતાને ભાવભરી અંજલિ આપી.૧૨ મુંબઈના મશહુર ઉદ્યોગપતિ નેવિલ વાડિયાએ આ પ્રસંગે શ્રેણિકભાઈ પર મોક્લેલો પત્ર કસ્તૂરભાઈના વ્યક્તિત્વનો દ્યોતક છે, શ્રી વાડિયા લખે છે: “તમારા પ્રિય પિતાજીના એકાએક થયેલ અવસાનના સમાચાર આજે સવારે છાપામાં વાંચતાં ભારે આઘાત થયો. ગઈ ૯મી તારીખે સવારે તેમણે અમારી બોર્ડની મિટિંગમાં હાજરી આપી ત્યારે તો એ સાજાસારા દેખાતા હતા, અને તેમનું મન પણ હમેશની માફક જાગ્રત અને સ્પષ્ટ વિચાર કરી શકતું હતું. - ખાસ કરીને બસ્ટન પરિષદમાં સાથે હતા ત્યારથી તેઓ અને હું ઉત્તમ મિત્રો બન્યા હતા. ઇંગ્લંડના કોટન બોર્ડ સાથેની વાટાઘાટો વખતે અમે સાથે કામ કરેલું. ભારતના પ્રતિનિધિમંડળમાં અમે છ જણ જ હતા. છતાં સૌમાં તેમનું વ્યક્તિત્વ નિરાળું તરી આવતું. જ્યાં જતા ત્યાં તેમને ઉચ્ચ કોટિનું માન મળતું. તેઓ સીધા, સરળ ને નિખાલસ સ્વભાવના હતા. પોતાના અભિપ્રાય દૃઢપણે અને જરાય ખચકાટ વગર રજૂ કરતા. પોતે તેમની સાથે ક્યાં ઊભા છે તેની દરેકને ખબર હોય. એથીયે વિશેષ, એમની સલાહ હમેશાં સંગીન હોય ને ખૂબ મદદરૂપ નીવડે. ખરેખર મને તેમની ભારે મોટી ખોટ પડશે. તમારા સૌના જીવનમાં તેમના જવાથી કેટલો મોટો શૂન્યાવકાશ ઊભો થશે તેનો ખ્યાલ કરી શકું છું.૧૩ તાતા ઇન્ડસ્ટ્રીઝ લિ.ના અધ્યક્ષ શ્રી જે.આર.ડી. તાતા શ્રી સિદ્ધાર્થભાઈ પરના ટૂંકા પત્રમાં કસ્તૂરભાઈની મહાનુભાવિતાને માર્મિક રીતે ઉપસાવી આપે છે. થોડાંક વાક્યો જ જોઈએ: “ઘણા દાયકાઓથી મને તેમનો પરિચય છે. જેનાં શબ્દ અને સહાય પર હમેશાં આધાર રાખી શકાય તેવા મિત્ર તરીકે જ નહીં પરંતુ દુર્ભાગ્ય Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy