SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ પરંપરા અને પ્રગતિ સલાહ આપેલી કે “જોજો હો, ઈજિપ્ત રૂ પકવતો દેશ છે. તમે સરકારી ડેલિગેશન લઈને જાઓ છો. તમારે માટે એક પણ ગાંસડી ખરીદશો નહીં. નહીં તો તમારી ઉપર ટીકાની ઝડી વરસશે.” કસ્તૂરભાઈએ જવાબ આપ્યો: “તમારી વાત સાચી છે. હું એવું કદી ન કરું.”૧૫ એવો જ તેમનો ચોખ્ખો વ્યવહાર ધાર્મિક અને બીજાં ટ્રસ્ટોના વહીવટમાં હતો. ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતાં સારાભાઈ ડાહ્યાભાઈ જેવા સ્નેહી કે પ્રતાપ- ' સિંગ જેવા નિકટના સગાની સામે કાયદેસર પગલાં લેતાં તે અચકાયા નથી. અમદાવાદમાં ૧૯૪૪માં કોમી હુલ્લડ થયું ત્યારે તેમણે દર્શાવેલી હિંમત અને દૃઢતા કોઈ પણ લોકનેતાને જેબ આપે તેવી હતી. પોતે તાજા જ પરદેશથી આવેલા. અમદાવાદના કલેકટર બર્વેએ સલાહ માટે બોલાવ્યા. મહોરમના તહેવારમાં મુસ્લિમોને તાજિયા કાઢવા માટે પરવાનગી આપવાનો પ્રશ્ન હતો. બુઝર્ગ કેંગ્રેસી આગેવાન લાલાકાકા પણ હાજર હતા. કસ્તૂરભાઈને કલેકટરે પૂછયું : “તમારો શો અભિપ્રાય છે?” “તમે તાજિયા કાઢવાની પરવાનગી આપવાના છો ને?” કસ્તૂરભાઈએ પૂછયું. આપવી પડશે.” * “તો એવી શરત મૂકી કે નક્કી કરેલો રસ્તો છોડીને બીજે રસ્તે જશે તો દેખો ત્યાંથી ઠાર કોનો હુકમ અપાશે.” કસ્તૂરભાઈએ ઠંડે કલેજે સલાહ આપી. લાલાકાકાને નવાઈ લાગી. એક જૈન ઊઠીને આવી હડહડતી હિંસાની સલાહ આપે છે! લેકટરે કસ્તૂરભાઈને પોતાને ઘેર બોલાવ્યા. તેમની સાથે વિગતે ચર્ચા કરી ને પછી હુકમ આપ્યો કે જે લોકો નિયમ વિરુદ્ધ વર્તશે તેમને ઠાર કરવામાં આવશે. બીજે જ દિવસે હુલ્લડ થયું. કસ્તૂરભાઈ મુંબઈ ગયેલા. પછીને દિવસે પાછા આવ્યા ત્યારે મ્યુનિસિપલ પ્રમુખે તેમને બોલાવ્યા અને કહ્યું: “આપણે હુલ્લડગ્રસ્ત વિસ્તારોમાં ફરીને લોકોને દુકાનો ખોલી નાખવા કહીએ.” “ભલે, ચાલો.” કસ્તૂરભાઈએ કહ્યું. Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy