SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ જ્ઞાની પુરુષ (ભાગ-૧) ના હોય, પણ એય ચાલ્યા કરતું હતું. પણ જેમ જેમ છેતરાઈએ ને, તેમ મજા આવતી ગઈ. ક્ષત્રિય પ્રજા સગા ભાઈ પાસે માગી ના શકે, હાથ ધરી શકે નહીં. એટલે એ દૃષ્ટિએ હું એમને લેટ-ગો કર્યા કરતો હતો. મને પાછા કહે, મહિને-બે મહિને તમારા ગજવામાંથી જરૂર હોય ત્યારે થોડા પૈસા લઈ લઉ .” કહ્યું, “હું જાણું છું.” એનો વાંધો નહીં, કારણ એનો હક છે. પ્રશ્નકર્તા બરાબર છે. દાદાશ્રી : આજના ક્ષત્રિયોને તો માગતા હઉ આવડે છે ! મેં તમારે ત્યાં થાપણ મૂકેલી હોય ને, પછી મને તો આખી જિંદગી માગતા ના આવડે.તે મને મહીં શું આવે ? અત્યારે એની પાસે ના હોય તે વખતે આપણે માગીએ તો એને દુઃખ થાય. આવું હઉ ફરી વળે બધું. એટલે આ આવું ઊભું થાય એટલે કોઈની પાસે માગતો નથી, સામાને દુ:ખ ના થાય એટલા માટે. કહેશે, “આપણા છે ને.” મેં કહ્યું, “ભઈ, આપણા છે પણ એને દુઃખ થાય ને ! અત્યારે એની પાસે ના હોય તો ?” પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : તે આ જ્ઞાન પછી થોડુંક શીખ્યો, તેય ખાસ નથી આવડતું. અને હવે આવું શીખીને ક્યાં જવું છે ? મોક્ષે જવું છે. આપણે તો. હવે તો એ આડાઈયે નથી રાખવી અને અડિયલપણુંય નથી રાખવું. પ્રશ્નકર્તા : બરાબર. ખાતદાત માણસને ચોર કેમ કહેવાય ? દાદાશ્રી : જો એને કહે તો મામાના છોકરા જોડે સંબંધ તૂટી જાય અને કેટલા રૂપિયા માટે? બસ્સો-પાંચસો રૂપિયા માટે. અને એની છોડી આવે ત્યારે તમે દસ હજાર ઘસાવ. હવે તો એમ જ ચાલવા દો ને ગાડું, જે રીતે ચાલે છે તે. તૂટી જાય કે ના તૂટી જાય ? “ચોર છો, હરામખોર, મારા ગજવામાંથી ચોરી ગયો ના કહેવાય એવું. કોઈ બહારનો લઈ ગયો તોય ના કહેવાય. અને કેટલાક માણસોને હું કહું છું, “આ ચોરી કરી જાય
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy