________________
[૮.૨] ભાભીને ઉપકારી ગયા
૨૪૫ દાદાશ્રી : આમ છોડતા હશે એ ? મારી જોડે વેર બહુ ભારે હતું. પ્રશ્નકર્તા ઃ દાદા, એ શું કારણ હશે આમ ? દાદાશ્રી : ઋણાનુબંધ. પ્રશ્નકર્તા: એટલે ભાભી અપમાન કર્યા કરે ?
દાદાશ્રી : હા, ભાભી બહુ અપમાન કરે. ભાભીએ તો તેલ કાઢી નાખ્યું'તું. ભઈ અપમાન કરતા હતા, એ તો જાણે મોટાભાઈ થાય એટલે આપણે એને એ ના કરીએ. પણ ભાભીએ આવ્યા ત્યારથી અપમાન આપ આપ કર્યું. અમારા ભાભીએ અમારો અહંકાર ઉતારી પાડ્યો'તો.
પ્રશ્નકર્તા: એ વખતે આકરું લાગતું હશે, દાદા ? દાદાશ્રી : બહુ આકરું.
લાગે દુશ્મન પણ સમજાય તો કામ રે મિત્રનું પ્રશ્નકર્તા : એમ બહુ આકરું, દાદા.
દાદાશ્રી : મને એ જે દસકો વીત્યો છે તે કોઈનેય વીત્યો નહીં હોય. મને જે દસકો વીત્યો છે તે ભવોભવનું ભેગું કરે તોય તેની તોલે ન આવે તેવું ગજબનું વીત્યું છે. મારી આપવીતી તમારી કલ્પનામાં ન આવે. ભાભીએ દુઃખ દેવામાં કંઈ બાકી રાખ્યું નથી ! હવે એમનો દોષ નહીં પણ હિસાબ તો મારો જ ને ! આ જગતમાં કોઈની નોંધ કરવા જેવી નથી.
પ્રશ્નકર્તા : પણ ઘણીવાર દુશ્મન પણ મિત્રનું કામ કરતા હોય છે.
દાદાશ્રી : હંમેશાં મિત્ર જ હોય છે પણ સમજાતું નથી. એટલે કેટલીક મારી જ ભૂલ હશે એવું મને લાગે છે. પણ તે દહાડે તો ના જ લાગે ને ! તે દહાડે તો એમ જ લાગે ને કે આ ખોટા છે. તે દહાડે નાની ઉંમરમાં તો એમ જ લાગે ને, આ મને દુઃખ દે છે. તેથી હું કહેતો'તો કે નરસિંહ મહેતાને માથાના મળ્યા એવું મને આ મળ્યા !”