________________
૧૦૮
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
વીંટી વેચી પૈસા વાપરી નાખ્યા
પ્રશ્નકર્તા : પછી શું થયું ?
દાદાશ્રી : પછી એ વીંટી બે-ત્રણ દહાડા પછી પેટલાદ જઈ અને વટાઈ લાવ્યા અમે. એના ચૌદ રૂપિયા આવ્યા'તા. પોણા તોલાની હશે, મોટી-જાડી વીંટી. પણ દાનત ચોર કેટલી બધી કહેવાય ?
પ્રશ્નકર્તા: વીસ રૂપિયા તોલો સોનું હતું ને ત્યારે ?
દાદાશ્રી : બાવીસ-ત્રેવીસ રૂપિયા. એ દાનત કેટલી સારી દાનત કહેવાય એ ?
પ્રશ્નકર્તા ન કહેવાય. પણ પછી શું કર્યું એ રૂપિયાનું, દાદા ?
દાદાશ્રી : એ રૂપિયા વાપર્યા પરચૂરણ ખર્ચમાં, આ છોકરાઓ જોડે રમતમાં વપરાઈ ગયા. એ મોહ મહીં જે જથ્થો ભેગો થયો'તો, તે વાપર્યા. કુસંગ ભઈબંધોનો મળેલો ને ! કુસંગ હોય તો જ આવી બધી રીત આવડે, નહીં તો ન આવડે.
જ્ઞાન પહેલાં બધા જેવું જ કળિયુગી જીવન આ તો બધા જાણે કે અત્યારે દાદાને જ્ઞાન થયું એટલે પહેલાંનું જીવન ચોખું ગયેલું હશે, પણ હોય કળિયુગમાં બધું ચોખ્ખું ? ગુસ્સે થતો ને, ત્યારે સામાને આધાશીશી ચઢી જાય એવું બોલું. આધાશીશી ઊતરે નહીં પાછી ત્રણ-ત્રણ, ચચ્ચાર કલાક સુધી. મન તૂટી ના જાય પણ આધાશીશી ચઢી જાય. ત્યારે લોકો કહે છે, આવું કેવું બોલો છો કે ગધેડાનેય આધાશીશી ચડે એવું ? સંસ્કાર જરાક કાચા કહેવાય એ.
માતના આધારે આ તા શોભે આ જે વીંટી લીધી એ તો બહુ ખરાબ સંસ્કાર, ના શોભે એ. નાનપણમાં મેં માન જોયેલું એ આધારે આ ના શોભે. બે વર્ષનો હતો ત્યારથી તે ઠેઠ અઢાર વર્ષ સુધી મેં માન જોયેલું, તે આધારે આ શોભે